વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થયો

BCCIએ ૫ ઓક્ટોબરથી શરુ થઈ રહેલા ભારતમાં યોજાનાર આઈસીસી વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે.

ભારતમાં ૫ ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે તેને માટે આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

૫ ઓક્ટોબર ૨૦૨૩ થી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં ૧૦ ટીમો ભાગ લેવાની છે જેમાંથી ૮ ટીમો ફિક્સ છે, જ્યારે ૨ ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટથી નક્કી થશે, જેમાં ૨ વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.

ભારત-પાકિસ્તાનની મેચ ૧૫ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનની માગણીઓને સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *