મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે

અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ એવી અટકળો સાથે બજાર ગરમ થઈ ગયું હતું કે હવે સીએમ શિંદે રાજીનામું આપી શકે છે. હવે આ બધી અટકળોને સીએમ એકનાથ શિંદેએ ફગાવી છે.

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. અજિત પવાર જૂથ સરકારમાં જોડાયા બાદ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એક તરફ જ્યાં અજીત અને શરદ જૂથે પોતપોતાના કેમ્પના નેતાઓની બેઠક બોલાવી રહ્યા છે તો હવે એવામાં સીએમ શિંદેએ પણ ગઇકાલે સાંજે તેમના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી.

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે શું એકનાથ શિંદે મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે. બેઠક દરમિયાન એકનાથ શિંદેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું રાજીનામું નથી આપી રહ્યો અને મને એ પણ ખબર છે કે આવા સમાચાર કોણ ફેલાવી રહ્યું છે. આ સાથે જ સીએમ એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે તેઓ ૨૦૨૪ માં પણ સીએમ રહેશે. ગઇકાલની એ બેઠમાં શિંદેએ તેમના સમર્થક ધારાસભ્યોને આ ખાતરી આપી હતી અને સાથે જ કહ્યું હતું કે સમર્થકોએ તેમના રાજીનામાના સમાચાર પર વધુ ધ્યાન ન આપવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *