ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આગામી ૨૪ કલાક મધ્યમ વરસાદ થશે. તેમજ આગામી ૭ દિવસ વરસાદ નહી પડે. તેમજ અમદાવાદમાં મધ્યમ વરસાદ થશે. તેમજ ચાલુ સિઝનમાં ૮૫ % વરસાદ થયો છે.

રાજ્યમાં વરસાદનાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે. ત્યારે ત્રણ રાઉન્ડમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી છે કે, રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. તેમજ આગામી ૨૪ કલાક હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અને અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ૭ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં ચાલુ સીઝનમાં ૮૫ % ઉપર વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ નથી. અમુક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે. ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી. તેમજ કાલથી વરસાદ ઓછો થવાની સંભાવના છે. અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે.  ગુજરાતમાં હાલ ૮૫ % વરસાદથઈ ચૂક્યો છે.  સમગ્ર જીલ્લાઓમાં પણ સારો વરસાદ થયો છે.

વરસાદનાં ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી તેમજ વલસાડમાં મનમુકીને વરસતા અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમજ ઘણા ગામો સંપર્ક વિહોણા પણ બન્યા હતા. તો ભારે વરસાદનાં કારણે તળાવ, નદી, નાળા તેમજ ડેમો છલકાયા હતા. જ્યારે સૌરાષ્ટ્રનાં જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તેમજ ઘણા વાહનો પણ પાણીમાં તણાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *