કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે મહત્વ પૂર્ણ યોજવાઓમાં નાણાકીય સહાય વધારાને મંજૂરી આપી હતી.
કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે સહકાર પ્રણાલીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કરવાની મંજૂરી આપી છે.સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભૂતપૂર્વ સૈનિકોની વિધવાઓને વ્યાવસાયિક તાલીમ અનુદાન યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય ૨૦ હજાર રૂપિયાથી વધારીને ૫૦ હજાર રૂપિયા કરવામાં આવી છે. નોન-પેન્શન પાત્ર ભૂતપૂર્વ સૈનિકો અથવા તેમની વિધવાઓને હવે ઉન્નત તબીબી અનુદાન મળશે, જેની રકમ ત્રીસ હજારથી વધારીને પચાસ હજાર રૂપિયા કરવામાં આવશે. બિન-પેન્શનપાત્ર ભૂતપૂર્વ સૈનિકો અથવા તેમની વિધવાઓ માટે ગંભીર બીમારી અનુદાનની રકમ ૧ લાખ ૨૫ હજાર રૂપિયાથી વધારીને ૧ લાખ ૫૦ હજાર રૂપિયા કરવામાં આવી છે.