ચંદ્રયાન ૩ : વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ફરીથી સોફ્ટ લેન્ડિંગ કર્યું

૨૩ ઓગસ્ટના રોજ, ચંદ્રયાન-૩ ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કર્યું, જ્યારે થોડા દિવસો પછી, વિક્રમ લેન્ડરે ફરી એકવાર ચંદ્રની સપાટી પર ‘સોફ્ટ-લેન્ડિંગ’ કર્યું. ચંદ્રયાન-૩ મિશન હેઠળ ઈસરોએ એક મોટું અપડેટ આપ્યું છે, ઈસરોએ ફરી એકવાર ચંદ્રયાન-૩ ના વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.

સોમવારે, ઈસરોએ એક વિડિયો જાહેર કર્યો અને માહિતી આપી કે વિક્રમ લેન્ડર તેના મિશન ઉદ્દેશ્યોને પૂરા કરવા તરફ આગળ વધ્યું છે. ઈસરોએ કહ્યું કે આદેશ મળતાં જ વિક્રમ લેન્ડરે એન્જિનોને ‘ફાયર’ કરી દીધા. અનુમાન મુજબ, તે ણે પોતાની જાતને લગભગ ૪૦ સે.મી. સુધી ઊંચક્યું અને ૩૦-૪૦ સે.મી.ના અંતરે સુરક્ષિત રીતે ઉતર્યું. ઈસરોએ કહ્યું કે વિક્રમ લેન્ડરના ફરીથી સોફ્ટ લેન્ડિંગની આ પ્રક્રિયાથી ભવિષ્યમાં સેમ્પલ આવવા અને ચંદ્ર પર માનવ અભિયાનની આશા વધી છે. વિક્રમની સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે અને સારી સ્થિતિમાં છે. રેમ્પ અને ચેસ્ટ અને ILSA પેલોડ (ઇન્સ્ટ્રુમેન્ટ્સ)ને લેન્ડરમાં પાછા બંધ કરવામાં આવ્યા હતા અને પ્રયોગ પછી સફળતાપૂર્વક ફરીથી ગોઠવવામાં આવ્યા હતા. એટલે કે પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની અંદર ગયું છે.

અગાઉ, ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રયાન-૩ ના રોવર ‘પ્રજ્ઞાન’ એ ચંદ્રની સપાટી પર તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે તે નિષ્ક્રિય (સ્લીપ મોડ) સ્થિતિમાં ગયું છે. રોવરની બેટરીઓ સંપૂર્ણ ચાર્જ થઈ ગઈ છે અને તેની સોલાર પેનલ્સ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ચંદ્ર પરના આગામી સૂર્યોદય સમયે ફરીથી કામ શરૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *