સૂર્યની ગતિવિધિઓ પર નજર રાખવા ગયેલ ઘણા પ્રકારના ઉપકરણો સાથે સજ્જ આદિત્ય એલ-૧ મિશને વધુ એક સફળતા મેળવી લીધી છે. જે અંગે વિગતે જાણો આ અહેવાલમાં !
ભારતના પ્રથમ સૂર્ય મિશનઆદિત્ય એલ-૧ અવકાશયાને સફળતા નજીક વધુ એક ડગલું ભરી લીધું છે. આદિત્ય એલ-૧ એ પૃથ્વીની ચોથી ચક્કર લગાવામાં સફળતા મેળવી સૂર્ય નજીક ડગ માંડયા છે. આ મામલે ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ ( ઈસરો ) દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
આદિત્ય એલ-૧ ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે અને આ આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે.પોઇન્ટ અર્થ એવો છે કે અહીંથી સૂર્ય અવરોધ વિના દેખાઈ શકે છે. ત્યારે લેગ્રેન્જ પોઈન્ટ ૧ અવકાશયાન પર મોકલવામાં આવેલ આદિત્ય એલ-૧ પૃથ્વીથી લેગ્રેન્જ પોઈન્ટ ૧ નું અંતર ૧૫ લાખ કિલોમીટર છે, જ્યારે સૂર્યથી પૃથ્વીનું અંતર ૧૫ કરોડ કિલોમીટર છે.
ઈસરો એ કહ્યું કે ‘ફોર્થ અર્થ બાઉન્ડ મેન્યુવર’માં સફળતા હાંસલ કરી લેવામાં આવી છે. બેંગલુરુ, શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેરના ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા સેટેલાઇટને ટ્રેક કરાયો હતો. આદિત્ય એલ-૧ અવકાશયાન ૨૫૬ km x ૧૨૧૯૭૩ km ના અંતરે આવેલું છે. ઈસરો દ્વારા જણાવાયા અનુસાર આગામી મેન્યુવર ટ્રાન્સ-લેગ્રાંગિયન પોઈન્ટ ૧ ઈન્સર્શન ૧૯ સપ્ટેમ્બરે સવારે ૦૨:૦૦ વાગ્યે કરાશે. સૂર્યની ગતિવિધિઓના અભ્યાસ અર્થે ગયેલ ઈસરોનું આ અવકાશયાન ૧૬ દિવસ સુધી પૃથ્વી નજીક ચક્કર લગાવશે જેને લઈને આગળની મુસાફરી માટે જરૂરી ગતિ પ્રાપ્ત થશે.