ગણેશ ચતુર્થી પહેલા ઈસરોએ આપી ખુશખબરી

ન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 ( Adity L1 ) મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું.

ગણેશ ચતુર્થી પહેલા-પહેલા ઈસરોએ ખુશખબરી આપી છે. વાત જાણે એમ છે કે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય- L1  ( Adity L1 ) મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું છે. ઈસરોએ કહ્યું છે કે, આદિત્ય-એલ1 ( Adity L1 ) એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે.

ઈસરોએ X પરની તેની એક પોસ્ટમાં જણાવ્યું કે, આદિત્ય-L1માં સ્થાપિત STEPS ઈન્સ્ટ્રુમેન્ટના સેન્સર્સે પૃથ્વીથી ૫૦ હજાર કિમીથી વધુના અંતરે સુપર-થર્મલ અને એનર્જેટિક આયનો અને ઈલેક્ટ્રોનને માપવાનું શરૂ કરી દીધું છે. ઈસરો અનુસાર આદિત્ય-L1 જે ડેટા એકત્ર કરશે તેનાથી વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ મળશે. આ આંકડો એક એકમ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ઊર્જાસભર કણોના વાતાવરણમાં ભિન્નતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *