મન કી બાત કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી મોદી ૧૦૫મી વખત દેશવાસીઓને સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧:૦૦ વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા ૧૦૫ મી વખત દેશવાસીઓને પોતાના વિચારો જણાવશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરવામાં આવશે.
એવી જ રીતે રાત્રે ૦૮:૦૦ વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી મન કી બાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.