૫૭ મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું

જમ્મુ-કાશ્મીર પર ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન OIC એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન બ્રાહિમ તાહાને આપેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગઈકાલે જમ્મુ અને કાશ્મીર પર ભારતના કબજાના ૭૬ વર્ષ પૂર્ણ થશે. OIC એ આંતરરાષ્ટ્રીય સમુદાયને જમ્મુ અને કાશ્મીરના વિવાદને ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ નક્કર પગલાં લેવાનું પુનરોચ્ચાર કર્યો હતો.  ઉપરાંત તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને લઈને સંગઠન તેમની સાથે છે.

ઈસ્લામિક સમિટ અને OIC વિદેશ મંત્રીઓની બેઠકના નિર્ણયો અને ઠરાવોનો ઉલ્લેખ કરતા OICના સેક્રેટરીએ કહ્યું કે, ભારતને જમ્મુ અને કાશ્મીરના લોકોના મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવું જોઈએ. ઉપરાંત, ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં નાબૂદ કરવામાં આવેલી કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી.

આ પહેલીવાર નથી જ્યારે OICએ ભારત અને જમ્મુ-કાશ્મીરને લઈને આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય  અગાઉ પણ OIC ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતું રહ્યું છે. ઓક્ટોબર ૨૦૨૨માં પણ OICએ એક નિવેદન જારી કરીને ભારત સરકારને જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. કાશ્મીરમાં થઈ રહેલા ડેમોગ્રાફિક ફેરફારને રોકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ પહેલા પણ કાશ્મીર મુદ્દે OIC તરફથી આ પ્રકારનું નિવેદન જોવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *