ઇઝરાયેલી દળોએ ઉત્તરી ગાઝામાં હમાસ સામે જમીનથી આક્રમણ શરૂ કર્યું, નેતન્યાહુએ જમીની અભ્યાનને યુદ્ધનો બીજો તબક્કો ગણાવ્યો

ઈઝરાયેલાના પ્રધાનમંત્રી નેતન્યાહુએ બંધકોને પરત ઘરે લાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવાનું વચન આપ્યુ હતુ.

ઇઝરાયેલી દળોએ ઉત્તરી ગાઝામાં હમાસ સામે જમીનથી આક્રમણ શરૂ કર્યું હતુ. ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ જમીની અભ્યાનને  યુદ્ધનો બીજો તબક્કો ગણાવ્યો હતો. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયલીઓના પરિવારોને મળ્યા, જેમણે ગાઝા પર વધી રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

મિસિંગ ફેમિલીઝ ફોરમે જણાવ્યું હતું કે, જ્યારે સૈનિકો ઉત્તર ગાઝામાં ગયા તે રાત અત્યાર સુધીની “સૌથી ખરાબ” હતી. તેણે ફરિયાદ કરી હતી કે “ગ્રાઉન્ડ ઓપરેશન ૨૨૯ બંધકોની સુખાકારીને જોખમમાં મૂકે છે કે કેમ” તે કોઈએ સમજાવ્યું નથી.

નેતન્યાહુએ તેમને ઘરે લાવવા માટે શક્ય તેટલું બધું કરવાનું વચન આપ્યું છે. મીટિંગની આગળ, બંધકો અને ગુમ થયેલ કુટુંબીજનો ફોરમે જણાવ્યું હતું કે તેમના સંબંધીઓ “તેમના પ્રિયજનોના ભાવિ વિશે ચિંતિત છે અને ઇઝરાયેલી સૈન્યની ક્રિયાઓની સમજૂતીની રાહ જોઈ રહ્યા છે”.

નિવેદનના જવાબમાં, સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે કહ્યું કે તેઓ રવિવારે જૂથના પ્રતિનિધિઓને મળશે.

૭ મી ઓક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના બંદૂકધારીઓ દ્વારા બંધકોને લેવામાં આવ્યા હતા જેમાં ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *