સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે સ્થિતિ બેકાબૂ થતાં ચાર લોકો બેભાન, એકનું મોત

દિવાળી અને છઠ્ઠ પુજાના તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી હતી. વતન જવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. ઉધના રેલવે સ્ટેશન પર ક્ષમતા કરતા વધારે ભીડ ઉમટી પડતા અફરાતફરી અને ધક્કામુક્કી સર્જાઈ હતી,જેના કારણે ચાર લોકો બેભાન થઈ ગયા હતા.

બનાવની જાણ થતા પોલીસ કર્મચારીઓ અને ૧૦૮ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. એક વ્યક્તિને સ્થળ પર CPR આપવામાં આવ્યું હતું. જ્યારે મહિલા સહિત ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે, સારવાર દરમિયાન એક યુવકનું મૃત્યુ થયું હતું.

પરિવાર સાથે વતનમાં  દિવાળીના પર્વની ઉજવણી માટે લોકો વતન જતાં હોય છે. જેના કારણે સુરત અમદાવાદ સહિતના રેલવે પ્લેટફોર્મ પર લોકોની ભીડ જોવા મળી હતી. જો કે રેલવે પ્રશાસનના અણઘડ વહિવટના કારણે સુરત રેલવે સ્ટેશન પર લોકોની જિંદગી દાવ પર લાગી હતી.ટિકિટ કન્ફર્મ હોવા છતાં પણ ભીડ અને ધસારાના કારણે પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા તો કેટલાક લોકો ચાલતી ટ્રેને પણ ભીડમાં ટ્રેનમા જીવના જોખમે ચઢવો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *