આજનો ઇતિહાસ ૧૪ ડિસેમ્બર

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. ભારતમાં ઉર્જાના કાર્યક્ષમ વપરાશ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે.

આજે મંકી ડે એટલે કે વાનર દિવસ છે.

આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને ભારતના પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર – ડિરેક્ટર અને એક્ટર રાજકપૂરનો ૧૦૦ મો જન્મદિવસ છે. તેમને બોલીવુડના શો મેન  કહેવામાં આવે છે.

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ દર વર્ષે ૧૩ ડિસેમ્બરે સમગ્ર ભારતમાં ઉજવાય છે. ભારતમાં ‘ઊર્જા સંરક્ષણ અધિનિયમ’ની સ્થાપના ‘બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી’ (BEE) દ્વારા વર્ષ ૨૦૦૧ માં કરવામાં આવી હતી. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એ ભારત સરકાર હસ્તક એક બંધારણીય સંસ્થા છે અને ઉર્જાનો ઉપયોગ ઘટાડવા માટે નીતિઓ અને વ્યૂહરચના બનાવવવામાં મદદ કરે છે. ભારતમાં ઉર્જા સંરક્ષણ અધિનિયમનો ઉદ્દેશ્ય વ્યાવસાયિક, લાયકાત ધરાવતા અને કુશળ મેનેજરો તેમજ ઓડિટરની નિમણૂક કરવાનો છે જેઓ ઉર્જા કાર્યક્ષમતા પ્રોજેક્ટના અમલીકરણમાં અને ઊર્જા, પ્રોજેક્ટ્સ, નીતિ વિશ્લેષણ, ફાઇનાન્સ મેનેજમેન્ટમાં નિષ્ણાત હોય.

ભારતમાં ‘પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન’ની સ્થાપના વર્ષ ૧૯૭૭ માં ભારત સરકાર દ્વારા ભારતીય લોકોમાં ઊર્જાના સંરક્ષણ અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા મોટા પાયે ઉર્જા બચાવવા માટે આ એક મોટું પગલું છે. વધુ સારી ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે, ભારત સરકારે ૨૦૦૧ માં બીજી સંસ્થા, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની પણ સ્થાપના કરી.

મંકી ડે 

મંકી ડે એટલે કે વાનર દિવસ દુનિયાભરમાં દર વર્ષ ૧૪ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આમ સંયુક્ત રાષ્ટ્ર કે અન્ય કોઇ વૈશ્વિક સંસ્થા દ્વારા મંડી ડેની ઘોષણા કરવામાં આવી નથી તેમ છતાં ઘણા દેશોમાં આ દિવસ ઉજવાય છે. વાનર સહિત અન્ય પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના અને લાગણી પ્રગતિ કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર દુનિયામાં વાનરની કુલ 264 પ્રજાતિ મળી આવી છે. ભારતમાં મકૈક અને લંગૂર પ્રજાતિના વાનર સૌથી વધુ છે. તમને જાણીને નવાઇ લાગશે કે વાનરને અવકાશમાં પણ મોકલવામાં આવ્યો છે. વર્ષ ૧૯૪૯ માં અમેરિકાએ આલ્બર્ટ દ્વિતીય નામના એક વાનરને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. જો કે પરત ફરતી વખતે પેરાશુટમાં સમસ્યા સર્જાતા તેની મૃત્યુ થઇ ગઇ હતી. ચિમ્પાન્ઝી વાનરની સૌથી હોશિયાર પ્રજાતિ છે. વાનર એક માત્ર એવો જીવ છે જેના માનવના ડીએનએ ૯૮ ટકા સુધી મેળ ખાય છે.

૧૪ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2008 – ભારતે આર્જેન્ટિના સામે અંડર-21 હોકી ટેસ્ટ સિરિઝની છેલ્લી મેચમાં 4-4થી ડ્રો રમી.
  • 2007 – બાલી કરારના ડ્રાફ્ટમાંથી વિવાદાસ્પદ જોગવાઈઓ દૂર કરવામાં આવી. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે 50 વર્ષ પછી રેલ સેવા ફરી શરૂ થઈ.
  • 2003 – યુએસ ગઠબંધન સૈનિકોએ તિકરિતમાં પૂર્વ ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની ધરપકડ કરી.
  • મેક્સિકોના મેરિડામાં 73 દેશોએ પ્રથમ ભ્રષ્ટાચાર વિરોધી કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 2002 – પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવીને બ્લાઇન્ડનો વર્લ્ડ કપ જીત્યો.
  • 2000 – જ્યોર્જ ડબ્લ્યુ. બુશ યુનાઇટેડ સ્ટેટ્સના 43મા પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1998 – આયેશા ધારકરને 23મા કૈરો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તમિલ ફિલ્મ ‘ટેરરિસ્ટ’માં તેની શ્રેષ્ઠ ભૂમિકા માટે બેસ્ટ જ્યુરી એવોર્ડ આપવામાં આવ્યો.
  • 1997 – વિશ્વના તમામ દેશો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા સંમત થયા.
  • 1995 – બોસ્નિયા, સર્બિયા અને ક્રોએશિયાના નેતાઓએ પેરિસમાં ડેટોન સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેમાં સાડા ત્રણ વર્ષના બાલ્કન યુદ્ધનો અંત આવ્યો.
  • 1983 – જનરલ એચ.એમ. ઇરશાદે પોતાને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
  • 1982 – બ્રિટિશ કોલોની જીબ્રાલ્ટર અને સ્પેન વચ્ચે સ્થિત વિશાળ ગ્રીન ગેટ 13 વર્ષ પછી ફરી ખોલવામાં આવ્યો.
  • 1946 – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતની બંધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1921 – બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા એની બેસન્ટને ‘ડોક્ટર ઓફ લેટર્સ’નું બિરુદ આપવામાં આવ્યું.
  • 1911 – એમન્ડસેનની દક્ષિણ ધ્રુવની યાત્રા.
  • 1687 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મદ્રાસ (ભારત)માં મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *