ઈસરો સૌર મિશન આદિત્ય એલ૧ ડેસ્ટિનેશન: સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવા માટે સોલાર મિશન આદિત્ય એલ૧ ઈસરો દ્વારા ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે, ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ૧ તેના મુખ્ય ગંતવ્ય સ્થાન એટલે કે લેગ્રાંગિયન પોઇન્ટ (એલ૧) પર પહોંચશે જે પૃથ્વીથી ૧૫ લાખ કિમી દૂર આવેલું છે.
આ અવકાશ મિશન, હેલો ઓર્બિટ ભ્રમણકક્ષા એલ૧ થી સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ ભારતીય અવકાશ યાન છે, જે ઈસરો દ્વારા ૨ સપ્ટેમ્બરે શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઈસરોના ચેરમેન એસ. સોમનાથે શુક્રવારે અહીં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે કામ કરતી એનજીઓ વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત ભારતીય વિજ્ઞાન સંમેલનનમાં મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, “આદિત્ય-એલ૧ ૬ જાન્યુઆરીએ એલ૧ પોઈન્ટમાં પ્રવેશ કરશે. જે અપેક્ષા અનુસાર છે. યોગ્ય સમયે ચોક્કસ સમયની જાહેરાત કરવામાં આવશે.”
તેમણે ઉમેર્યુ કે,“જ્યારે આદિત્ય યાન એલ૧ પોઈન્ટ પર પહોંચે છે, ત્યારે અમારે ફરી એકવાર એન્જિનને ફાયર કરવું પડશે જેથી તે આગળ ન જાય. તે નિર્ધારિત પોઇન્ટ સુધી જશે, અને એકવાર તે તે પોઇન્ટ પર પહોંચશે, તે તેની આસપાસ ફરશે અને એલ૧ પર સ્થિર થઇ જશે.”
એકવાર આદિત્ય-એલ1 તેના ગંતવ્ય પર પહોંચશે, તે આગામી પાંચ વર્ષ સુધી સૂર્ય પર બનતી વિવિધ ઘટનાઓને માપવામાં મદદ કરશે.
ઇસરો વડાએ જણાવ્યું કે, “એકવાર આદિત્ય-એલ૧ સોલાર અવકાશ યાનને એલ૧ પોઈન્ટ પર સફળતાપૂર્વક મુકવામાં આવ્યા પછી, તે આગામી પાંચ વર્ષ સુધી ત્યાં રહેશે, તે તમામ ડેટાને એકત્ર કરશે જે એકલા ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યની ગતિશીલતા અને તે આપણા જીવનને કેવી રીતે અસર કરે છે તે સમજવા માટે આ ડેટા ખૂબ જ ઉપયોગી થશે.”
સભાને સંબોધતા તેમણે કહ્યું કે, ભારત કેવી રીતે ટેકનોલોજીકલ રીતે શક્તિશાળી દેશ બનવા જઈ રહ્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઈસરો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર ‘અમૃત કાલ’ દરમિયાન ‘ભારતીય સ્પેસ સ્ટેશન’ નામનું ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે, એમ સોમનાથે જણાવ્યું હતું.
“અવકાશ ક્ષેત્રમાં આપણે નવા કલાકારોનો ઉદભવ જોઈ રહ્યા છીએ…અમે નવી પેઢીની આસપાસ અર્થતંત્રને ટેકો આપવા, પ્રોત્સાહિત કરવા અને તેનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ,” તેમણે ઉમેર્યું હતું કે ભારત દરેક બાબતમાં અગ્રેસર ન બની શકે, પરંતુ તેણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એવા ક્ષેત્રો જ્યાં તે કંઇક કરવા સક્ષમ છે ત્યાં કરવું જોઇએ