ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે,આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને પીએમ મોદી દ્વારા લખેલો પત્ર પુતિનને સોંપ્યો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. જેમાં યુક્રેન સાથેના યુદ્ધ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. સાથે જ આ દરમિયાન જયશંકરે પીએમ મોદી તરફથી પુતિનને ખાસ સંદેશ પણ આપ્યો હતો.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે,આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને પીએમ મોદી દ્વારા લખેલો પત્ર પુતિનને સોંપ્યો હતો. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી હતી. આ દરમિયાન પુતિને પણ પીએમ મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપીને પ્રતિક્રિયા આપી હતી.