અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં છેલ્લા થોડા સમયથી બોમ્બ બ્લાસ્ટ અને હત્યાની ધમકીના ઈમેઈલ-ફોનની ઘટનાઓ વધી છે. ત્યારે આ તબક્કામાં હવે અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારક અને ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે.

સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં સરદાર સ્મારકને સ્ફોટક પ્રદાર્થથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. જ્યારબાદ બોમ્બ સ્કવોર્ડ અને SOGની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. ધમકી મળ્યા બાદ સ્કૂલનો કાર્યક્રમ રદ્દ કરાયો છે અને કાર્યક્રમ પહેલા વિદ્યાર્થીઓને રવાના કરી દેવાયા છે.

ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને પણ ઉડાવી દેવાની મળી ધમકી

તો બીજી તરફ વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને પણ સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળી છે. જેમાં વિજ્ઞાન કેન્દ્ર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. તો ધરમપુરના જાહેર રસ્તા પર પણ પોલીસ ચેકિંગ કરાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *