આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે. આજે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ છે.
આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે, તેમનું રશિયામાં આવેલા તાશ્કંદમાં વર્ષ ૧૯૬૬ માં અવસાન થયુ હતુ. આજે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ છે. ઇતિહાસન ઘટનાઓ પર નજર કરીયે તો વર્ષ ૧૬૧૩ માં આજના દિવસે જહાંગીરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સૂરતમાં ફેક્ટરી સ્થાપવા મંજૂરી આપી હતી. તો વર્ષ ૧૫૬૯ માં આજના દિવસે જ બ્રિટનમાં સૌપ્રથમ વાર લોટરીની શરૂઆત થઇ હતી. આજે ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ તેમજ ભારતની સૌથી નાની વયની મહિલા જાસૂસ સરસ્વતી રાજામણિનો જન્મદિવસ છે.
રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ
રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ ભારતમાં દર વર્ષે ૧૧ જાન્યુઆરી ઉજવાય છે. આ દિવસનો હેતુ માનવ તસ્કરી પીડિતોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા અને તેમના અધિકારોની હિમાયત કરવાનો છે. માનવ તસ્કરી એ આધુનિક ગુલામીનું એક સ્વરૂપ છે. આ એક ગુનો છે જેમાં એક વ્યક્તિ પોતાના ફાયદા હેતુ પૈસા મેળવવા માટે બીજી વ્યક્તિનું શોષણ કરે છે. માનવ તસ્કરો તેમના પર કબજો મેળવવા માટે પીડિતોની ફાયદો ઉઠાવે છે. વર્ષ ૨૦૦૭ માં યુનાઈટેડ સ્ટેટ્સ સેનેટે ૧૧ જાન્યુઆરીને રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ તરીકે સ્થાપિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. ૨૦૧૦ માં પ્રમુખ ઓબામાએ સમગ્ર જાન્યુઆરી મહિનો માનવ તસ્કરીની જાગૃતિ અને નિવારણ માટે સમર્પિત કર્યો હતો. મોટભાગે બાળકો, મહિલાઓની સૌથી વધુ તસ્કરી થાય છે.
૧૧ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2020 – ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ‘ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ અને ‘નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ’નું ઉદ્ઘાટન કર્યું.
- 2010 – ભારતે ઓડિશાના બાલાસોરમાં હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ એસ્ટ્રાના બે સફળ પરીક્ષણો કર્યા. આ મિસાઈલ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી હતી.
- ભારતે બાંગ્લાદેશ સાથે પાંચ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા, જેમાં વિકાસ પરિયોજનાઓ માટે 1 અબજ ડોલરની લોન આપવાની બાયંધરીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તેમા આતંકવાદ વિરોધી સહયોગ વધારવા માટે ત્રણ સુરક્ષા કરારોનો સમાવેશ થાય છે.
- દિલ્હી હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેંચે ચુકાદો આપ્યો છે કે ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની કચેરીને પણ માહિતી અધિકારના કાયદા (RTI) હેઠળ માહિતી આપવી ફરજિયાત છે.
- 2009 – સરકારે IT કંપની સત્યમને બચાવવા માટે ત્રણ નામાંકિત સભ્યોની નિમણૂક કરી. અચંતા શરત કમલે 70મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો.
- 2008 – કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે બીજા રાજ્યોના પુનર્ગઠન આયોગના બંધારણની રૂપરેખા આપી હતી.
- શ્રીલંકાની સરકારે એલટીટીઈની યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાની અપીલને નકારી કાઢી હતી.
- 2006 – અમેરિકાના પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશે ઓક્લાહોમા રાજ્યના જંગલોમાં લાગેલી આગને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી.
- 2005 – યુક્રેનમાં ફરી યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પશ્ચિમ તરફી વિરોધ પક્ષના ઉમેદવાર વિક્ટર યુશ્ચેન્કોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
- રિલાયન્સે BSNLને 84 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા
- 2004 – અમદાવાદમાં બળાત્કાર કેસના આરોપીની દિલ્હીના નર્સિંગ હોમમાંથી ધરપકડ.
- 2001 – ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે પ્રથમ વખત સંરક્ષણ કરાર.
- 1999 – શહેરી જમીન મર્યાદા કાયદો રદ કરવામાં આવ્યો.
- 1998 – લુઇસ ફ્રેચેટ (કેનેડા)ની સંયુક્ત રાષ્ટ્રના ઉપમહાસચિવ તરીકે નિમણૂક થઇ.
- 1995 – કોલંબિયાના કાર્ટાજેનામાં પ્લેન ક્રેશમાં 52 લોકોના મોત થયા છે. સોમાલિયામાં બે વર્ષથી ચાલી રહેલું સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન સમાપ્ત થયું.
- 1993 – સુરક્ષા પરિષદે ખાડી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાની ચેતવણી આપી.
- 1973 – પૂર્વ જર્મનીએ બાંગ્લાદેશને માન્યતા આપી.
- 1970 – અલગ થયેલ બિયાફ્રા રાજ્ય નાઇજિરિયન સરકારના આક્રમણ સામે ટકી શક્યું નહીં અને આત્મસમર્પણ કર્યું.
- 1962 – પેરુવિયન એન્ડીસ ગામમાં હિમપ્રપાતથી 3,000 લોકો માર્યા ગયા.
- 1955 – ભારતમાં ન્યૂઝપ્રિન્ટ પેપરનું ઉત્પાદન શરૂ થયું.
- 1945 – ગ્રીક ગૃહ યુદ્ધમાં યુદ્ધવિરામ થયો.
- 1943 – બ્રિટન અને અમેરિકાએ ચીનના ક્ષેત્રમાં પોતાનો દાવો પાછો ખેંચ્યો.
- 1942 – બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કુઆલાલંપુર પર કબજો કર્યો.
- 1866 – ઓસ્ટ્રેલિયા જતી વખતે લંડન નામના જહાજને અકસ્માત નડતા 231 લોકો ડૂબી ગયા.
- 1753 – સ્પેનના રાજા જોકિન મુરાતે નેપોલિયન બોનાપાર્ટને મુક્ત કર્યો.
- 1681 – બ્રાન્ડેનબર્ગ અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ગઠબંધન.
- 1613 – જહાંગીરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપી.
- 1569 – ઈંગ્લેન્ડમાં પ્રથમ લોટરી શરૂ થઈ.