પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર ઈરાનનો હુમલો

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ એરસ્પેસનું ઉલ્લંઘન, આ હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.

ઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. તેના પર પાકિસ્તાને દાવો કર્યો છે કે, હવાઈ હુમલામાં બે બાળકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ હુમલા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ એરસ્પેસનું ઉલ્લંઘન છે. આ હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હુમલા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનની અંગ્રેજી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે પાકિસ્તાને આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આના ગંભીર પરિણામો આવી શકે છે.

પાકિસ્તાને ઈરાનના વિદેશ મંત્રાલયને કરી ફરિયાદ

પાકિસ્તાને ઈરાની હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. તેણે તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ સિવાય પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાની રાજદ્વારીને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *