ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને મધ્ય મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને મધ્ય મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે તેણે તાત્કાલિક અસરથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ ગંભીર પરિસ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ટીમના ખેલાડીઓ અને સ્ટાફ સહિત તમામ સભ્યોનો અશ્વિન અને તેના પરિવારને સંપૂર્ણ સમર્થન છે. BCCIએ કહ્યું કે ખેલાડીઓ અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બીસીસીઆઈએ ચાહકો અને અન્ય લોકોને પણ અપીલ કરી છે કે તેઓ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા હોવાથી ખેલાડીઓ અને તેમના પરિવારજનોની ગોપનીયતા જાળવી રાખે. આવી સ્થિતિમાં ભારતીય બોર્ડ અને ટીમ અશ્વિનને દરેક સુવિધા આપવાનું ચાલુ રાખશે. જો કોઈ જરૂરિયાત હશે તો તેના માટે અશ્વિન સાથે વાતચીત ચાલુ રહેશે.
૧૩ વર્ષથી પોતાની સ્પિનથી બેટ્સમેનોને નચાવનાર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં આ સિદ્ધિ કરવાનું ચૂકી ગયેલા અશ્વિને ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો હતો. અશ્વિને ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રોલીને તેની કારકિર્દીનો ૫૦૦ મો શિકાર બનાવ્યો અને આ રીતે આ સીમાચિહ્ન સુધી પહોંચનાર માત્ર બીજો ભારતીય બોલર બન્યો.