ઈંડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં ૧૭ સીટો મળી છે. તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર સીટ ઉપરાંત ફતેહપુર સીકરી, બાંસગાવ, સહારનપુર સીટ સામેલ છે. આ ઉપરાંત પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાજિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયા પર પણ કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં ઉતારશે.
તમામ ઉતાર-ચડાવ બાદ ઉત્તર પ્રદેશમાં ઈંડિયા ગઠબંધન અંતર્ગત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે સીટોને લઈને વહેંચવણી માટે સહમતિ બની ગઈ છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ૧૭ સીટ મળશે. જો કે, બે સીટને લઈને કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને બદલવાની માગ કરી છે. આપને જણાવી દઈએ કે, મંગળવારે જ સમાજવાદી પાર્ટી તરફથી કોંગ્રેસને ૧૭ લીટની યાદી મોકલી હતી અને કહ્યું હતું કે, તેના પર સહમતિ બનાવી લેવામાં આવે.
૧૭ સીટોમાંથી કોંગ્રેસ તરફથી બે સીટોમાં બદલાવની માગ કરી છે. બુલંદશહર અને હાથરસની જગ્યાએ સીતાપુર અને શ્રાવસ્તીની સીટ કોંગ્રેસે માગી છે. હવે કહેવાયું છે કે, અખિલેશ યાદવે આ પ્રસ્તાવ માની લીધો છે અને આજે કે ગુરુવારે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.
ઈંડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં ૧૭ સીટો મળી છે. તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર સીટ ઉપરાંત ફતેહપુર સીકરી, બાંસગાવ, સહારનપુર સીટ સામેલ છે. આ ઉપરાંત પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાજિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયા પર પણ કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં ઉતારશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં એક અથવા બે સીટ પર સંશોધન પ્રસ્તાવિત છે, એટલે કે ફેરફાર જોવા મળી શકે છે.
ગઠબંધનને લઈને પૂછાયેલા સવાલ પર સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, અંત ભલા તો સબ ભલા, હા ગઠબંધન થશે. કોઈ વિવાદ નથી. બધું જ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. સામે આવી જશે. થોડા કલાકમાં બધું સામે હશે. આપને જણાવી દઈએ કે, બંને પાર્ટી તેને લઈને એક જોઈન્ટ પ્રેસ કોન્ફ્રેન્સ પણ કરી શકે છે.