હરિયાણાના બહાદુરગઢમાં આઈએનએલડીના નફે સિંહ રાઠીની ગોળી મારીને હત્યા કરવામાં આવી
રાજ્ય વિધાનસભામાં હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું કે, હરિયાણામાં INLD પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યાની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઇએ. આ હત્યાના આરોપીઓને બક્ષવા જોઇએ નહીં અને કડક કાર્યવાહી કરવી જોઇએ. હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.