ઉનાળામાં કઠોળ ખાવા જોઈએ

કઠોળ એ વિટામિન્સ, આયર્ન, સેલેનિયમ જેવા ખનિજો અને લાયસિન જેવા આવશ્યક એમિનો એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે.

Pulses : આ કારણોથી ઉનાળામાં કઠોળ ખાવા જોઈએ, એક્સપર્ટે જણાવ્યા આ સ્વાસ્થ્ય લાભ

કઠોળ વગર ભારતીય ભોજન અધૂરું છે, કઠોળ આપણા જીવનનો અભિન્ન ભાગ ગણી શકાય, તે પ્રોટીન અને ફાઇબરથી સમૃદ્ધ છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરની એક ઇન્સ્ટાગ્રામ પર ઉનાળા દરમિયાન કઠોળ ખાવા જોઈએ કે નહિ અને તેના સ્વાસ્થ્ય ફાયદા વિશે વાત કરી છે,

હેલ્થ એક્સપર્ટ દિવેકરે ધ્યાન દોર્યું હતું કે જે લોકોને તાજા ફળો અને શાકભાજી ખાઈને કંટાળી ગયા હોય તો તેવા કિસ્સામાં કઠોળ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જાણો કઠોળ ખાવાના ફાયદા

કઠોળ ખાવાના ફાયદા

  • કઠોળ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને પુનઃપ્રાપ્તિમાં પણ મદદ કરે છે.
  • કઠોળનો ઉપયોગ કરી તેમાંથી ઢોસાથી લઈને ચાટ સુધી કોઈ પણ રેસિપી થઈ શકે છે.
  • મગ, રાજમા અને મઠ આ ત્રણ કઠોળ એવા છે જે જે ઉનાળા દરમિયાન તેમના રોજિંદા આહારમાં ઉમેરવા જોઈએ.
  • કઠોળ કરવાથી તણાવની સમસ્યા માંથી મુક્તિ મળી શકે છે.
  • ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કઠોળનું સેવન અસરકારક છે કારણ કે તેનું ગ્લાયસેમીક ઇન્ડેક્સ ઓછું છે અને ઇન્સ્યુલિન પ્રતિકાર છે જે બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે.
  • PCOD ની સમસ્યામાં હેલ્થ એક્સપર્ટ કઠોળ ખાવાની સલાહ આપે છે.
  • આ ઉપરાંત થાઇરોઇડની સમસ્યાઓ, વાળ ખરવા, પેટનું ફૂલવું અને પૂરતી ઊંઘ ન આવવી વગેરે સમસ્યામાં પણ મદદ કરે છે.
  • કઠોળ એ વિટામિન્સ, આયર્ન, સેલેનિયમ જેવા ખનિજો અને લાયસિન જેવા આવશ્યક એમિનો એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે.
  • કઠોળ પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે અને ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.
  • કઠોળ એન્ટીઑકિસડન્ટો અને બળતરા વિરોધી એજન્ટોથી સમૃદ્ધ છે જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. અભ્યાસો સૂચવે છે કે પલ્સમાંથી સેલેનિયમ ગાંઠના વિકાસના દરને ઘટાડવામાં મદદ કરે છે . તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરવામાં અને આપણા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

કઠોળમાં રહેલ પોષક તત્ત્વો

  • પ્રોટીન્સ
  • આવશ્યક એમિનો એસિડ
  • રેસા
  • કાર્બોહાઇડ્રેટ્સ
  • પોલિફીનોલ્સ જેવા એન્ટીઑકિસડન્ટો
  • ફોલેટ અને આયર્ન
  • કેલ્શિયમ, ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખનિજો

કઠોળનું સેવન તમે પલાળીને અને અંકુરિત કરીને પછી કરી શકો છો. અને તમે નાસ્તામાં ઢોસા, બાફીને, વધારીને અને રાઈસ સાથે પણ ખાઈ શકો છો.

ગર્ભાવસ્થા દરમિયાન સેવન કરવું જોઈએ ?

કઠોળમાં ભરપૂર માત્રામાં ફોલેટ અને આયર્ન હોય છે જે સગર્ભા સ્ત્રીઓને તેમની જરૂરિયાતોને યોગ્ય રાખવામાં મદદ કરે છે. રોજિંદા આહારમાં કઠોળનો સમાવેશ હેલ્થી બ્લડ સેલ્સના ઉત્પાદનને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે તે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં ન્યુરલ ટ્યુબની ખામીને રોકવામાં મદદ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *