સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના તાજેતરમાં ઉપાય ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે આરબ દેશોમાં સામાન્ય રીતે ગરમીથી બચવા માટેજ નહિ પરંતુ કબજિયાતને પણ દૂર કરવામાં સેવન કરવામાં આવે છે.
ઉનાળા ની શરૂઆત થઇ ગઈ છે. ગરમી દિવસેને દિવસે વધતી રહી છે ત્યારે લોકો ઠંડક અને હાઇડ્રેટેડ રહેવાની અનેક ઉપાય કરે છે. પરંતુ એનાથી થોડી અલગ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરી છે, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના લેટેસ્ટ ઉપાય ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે આરબ દેશોમાં સામાન્ય રીતે ગરમીથી બચવા માટેજ નહિ પરંતુ કબજિયાતને પણ દૂર કરવામાં સેવન કરવામાં આવે છે. અહીં જાણો,
દિવેકર પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “ઉનાળામાં આવે એટલે તાપમાનમાં વધારો થાય છે, તેથી ગરમીમાંથી રાહત મેળવવા એક સરળ રેસીપી છે. અરબ દેશોમાં એક પરંપરા છે કે કાળઝાળ ગરમીમાં પેટને ઠંડુ રાખવા, ગરમીના થાક અને કબજિયાતને દૂર રાખવા માટે આ રેસિપી દ્વારા તમારો રમઝાનનો ઉપવાસ તોડો. જે દહીં, જીરા અને બ્લેક સોલ્ટ સાથે ખજૂર એકસાથે મિક્ષ કરી બનાવામાં આવે છે”
ખજૂર રાયતું બનાવવાની રીત
સામગ્રી
- દહીં
- ખજૂર ૩૦ મિનિટ માટે પાણીમાં પલાળી
- બ્લેક સોલ્ટ
- શેકેલી જીરું પાવડર
ખજૂર રાયતું બનાવવાની રીત
- એક બાઉલમાં દહીંને સારી રીતે મિક્ષ કરો.
- પલાળેલી ખજૂરને દહીંમાં મિક્ષ કરો.
- હવે પ્રોપર મિક્ષ કર્યા પછી તેમાં બ્લેક સોલ્ટ ઉમેરી ફરી મિક્ષ કરો.
- તાજું શેકેલું જીરું પાવડર ઉમેરો. ફરી મિક્સ કરો, અને તમારું ખજૂર રાયતું તૈયાર છે.
ઉનાળામાં ‘ખજૂર રાયતું’ ખાવાનું ફાયદા
- જો વાળ કરવાની સમસ્યા હોય તો આ રાયતું અસરકારક સાબિત થઇ શકે છે.
- પીરિયડ્સ પહેલા, લો મૂડ, PMS જેવી પ્રોબ્લમમાં રાહત આપવામાં મદદ કરી શકે છે.
- જો એનેમીયા હોય તો હિમોગ્લોબિનનું સ્તર જાળવવા માટે આ ફાયદારૂપ હોઈ શકે છે.
- આ ઉપરાંત ‘ખજૂર રાયતું’ ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું (bloating) જેવી હેલ્થ ઈશ્યુ હોય તો તેનું સેવન ફાયદારૂપ છે.