કોંગ્રેસે યુપીના ઈન્ડિયા ગઠબંધન હેઠળ તેના ક્વોટાની તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ પાર્ટી હજુ સુધી તેની પરંપરાગત બેઠકો એટલે કે અમેઠી અને રાયબરેલી અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.

રાહુલ અમેઠીમાં ગયા પછી પણ સસ્પેન્સ યથાવત
કોંગ્રેસે યુપીના INDIA ગઠબંધન હેઠળ તેના ક્વોટાની તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ પાર્ટી હજુ સુધી તેની પરંપરાગત બેઠકો એટલે કે અમેઠી અને રાયબરેલી અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. એવા અહેવાલો હતા કે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી ને અમેઠીથી મેદાનમાં ઉતારી શકાય છે. હવે સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડે, કોંગ્રેસ પાર્ટીએ આ અંગે પોતાની સંમતિ દર્શાવી છે, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી લડવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી લેવામાં આવી નથી.