ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે લાલુ યાદવનું મોટું નિવેદન.
ગુજરાતની ૨૬ બેઠકો સહિત દેશની ૯૩ બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે મુસ્લિમ અનામતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે અનામતની વાત કરીને ચૂંટણીના વાતાવરણને પોતાની તરફેણમાં બદલવાનો પ્રયાસ કરતાં કહ્યું કે મુસ્લિમોને અનામત મળવી જોઈએ.
લાલુ યાદવે કહ્યું કે, ‘વોટ અમારી તરફ આવી રહ્યા છે… ભાજપના લોકો ડરી ગયા છે. તેઓ માત્ર લોકોને ભડકાવી રહ્યા છે. ભાજપના લોકો બંધારણને ખતમ કરવા માંગે છે. ભાજપને જનતા સમજી ગઈ છે. મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જોઈએ.
લાલુ યાદવે વધુમાં કહ્યું કે, ‘ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. દરેક જગ્યાએ મોટી મોટી લાઇનો છે. તમામ મતદાન અમારી તરફેણમાં છે. ભાજપના લોકો ભડક્યા છે કારણ કે તેઓ ડરી ગયા છે. અનામતની જોગવાઈ છે… તેઓ લોકશાહી અને બંધારણનો નાશ કરવા માગે છે. જનતા આ સમજી ગઈ છે.