દેહરાદૂન શતાબ્દી એક્ષ્પ્રેસ : મોટી દુર્ઘટના ટળી ! યાત્રીઓ સુરક્ષિત દેહરાદૂન પહોચ્યાં …

દિલ્હીથી દેહરાદૂન જતી શતાબ્દી ટ્રેનના સી-5 કોચમાં શનિવારે આગ લાગી હતી. દુર્ઘટનાસમયે ટ્રેન દિલ્હીથી નીકળી રાયવાલા જંક્શન આગળ કાસરો રેલવે સ્ટેશન નજીક હતી. કોચના તમામ 35 મુસાફરોને આગ ફેલાઇ તે પહેલાં જ બહાર કાઢી લેવાયા હતા.

ઉતરાખંડ પોલીસ ચીફ અશોક કુમારે  કહ્યું  :  દુર્ઘટના માં કોઈ ને જાનહાની કે ઈજા નથ થયેલ !

દિલ્હીથી  રેલ્વે અધિકારી એ કહ્યું : શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના થઈ હતી . તમામ ૩૫ મુસાફરોને ઘટના સમયે હાજર કર્મચારીની  સુજબુજ સાથે દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે બીજા કોચ માં ખસેડી લેવામાં  આવ્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *