
ગુજરાતના રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ હાઇકોર્ટ સ્કૂલ, હોસ્પિટલ અને જાહેર સ્થળોએ ફાયર સેફટીને લઇને આકરું વલણ અપનાવ્યું છે. તેમજ રાજ્ય સરકારને તમામ જાહેર સ્થળો પણ ફાયર સેફટીના નિયમોના પાલન માટે તાકીદ કરી છે. તેમજ તેની બાદ રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પણ હરકતમાં આવી છે. તેમજ ફાયર સેફટીની અમલવારી માટે સ્થળ તપાસ કરીને નોટિસ આપી રહી છે. તેમજ અમુક સ્થળ પર સીલ પણ મારવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત રાજયની તમામ સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધાની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેને અપગ્રેડ પણ કરવામાં આવી રહી છે.