દેશના ઇતિહાસમાં પહેલીવાર થશે સ્પીકર માટે ચૂંટણી

કોંગ્રેસે ઓમ બિરલા વિરુદ્ધ કે સુરેશને ઉતાર્યા.

INDIA bloc pits K Suresh against Om Birla for Lok Sabha Speaker's post  after no Govt-Opposition consensus | Indiablooms - First Portal on Digital  News Management

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યારે ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે INDIA બ્લોકમાંથી કે સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Lok Sabha Session 2024 Live Updates: Om Birla files nomination for Lok  Sabha Speaker, K Suresh to be opposition candidate - The Times of India

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યારે ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે INDIA બ્લોકમાંથી કે સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે આવતીકાલે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે.

Rajya Sabha suspends 45 opposition MPs for defying rules and authority |  India News - Times of India

 

 

૧૮ મી લોકસભાના પહેલા સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે એટલે કે સોમવારે ૨૮૦ સાંસદોએ લોકસભામાં શપથ લીધા. આજે બીજા દિવસે પણ બાકીના ૨૬૪ સાંસદો લોકસભાના સભ્ય તરીકે શપથ લઈ રહ્યા છે. આજે એનડીએ દ્વારા ઓમ બિરલાને લોકસભાના સ્પીકર પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા કે. સુરેશે લોકસભા અધ્યક્ષ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. બુધવારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે.

ઓમ બિરલા અને કે. સુરેશ બંનેએ ઉમેદવારી નોંધાવી

Om Birla is NDA Lok Sabha Speaker candidate - India Today

BJP government insulting...': K Suresh amid pro-tem Speaker row | Latest  News India - Hindustan Times

ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઓમ બિરલાએ ૧૮ મી લોકસભાના સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું છે. એનડીએએ ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ સાંસદ કે સુરેશને લોકસભા સ્પીકર પદ માટે INDIA બ્લોકમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

નવા સંસદ ભવનને નવુ નામ અપાઈ શકે, જાણો શું હોઈ શકે છે નામ? | The new  parliament building can be given a new name, know what the name can be? -  Gujarati Oneindia

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘વિપક્ષને રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષે સ્પીકર પદને સમર્થન આપવું જોઈએ અને સર્વસંમતિ રચવી જોઈએ. અમે કહ્યું કે અમે સ્પીકરને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ. રાજનાથ સિંહે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને ફરી કૉલ કરશે. પણ એ કોલ હજુ આવ્યો નથી. મોદી કહે કંઈક જુદું છે અને કરે કંઈક જુદું. વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો જ અમે સમર્થન આપીશું.

ડેપ્યુટી સ્પીકરની માંગ કરી રહી છે કોંગ્રેસ

Download Indian-national-congress Flag (PDF, PNG, JPG, GIF, WebP)

કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે ભાજપ સ્પીકર માટે સતત મંથન કરી રહ્યું છે. અમારી પાર્ટી ડેપ્યુટી સ્પીકરની માંગ કરી રહી છે. ચાલો જોઈએ NDAના કયા ઉમેદવાર મેદાનમાં છે. કોંગ્રેસ લોકસભા ઉમેદવાર માટે નિર્ણય લેશે, જે પણ નિર્ણય હશે. આપણે બધા સાથે રહીશું.

બીજી તરફ સાંસદ પપ્પુ યાદવે કહ્યું કે જો રાજનાથ સિંહ સ્પીકર પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે તો તે સારું છે. ચાલો જોઈએ ઈન્ડિયા બ્લોકના નેતાઓ આ અંગે શું નિર્ણય લે છે? આ સાથે પપ્પુ યાદવે કહ્યું કે અગાઉ એવું જોવા મળ્યું છે કે સ્પીકર ભાજપના હતા. તેઓ લોકશાહી મૂલ્યોનું પાલન કરતા ન હતા. એવા સ્પીકર હોવા જોઈએ જે પીએમઓ અને ગૃહ મંત્રાલય પર નિર્ભર ન હોય.

સંજય સિંહે ટીડીપી અને જેડીયુના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

AAP सांसद संजय सिंह की बढ़ी मुसीबत, जल शक्ति मंत्री महेंद्र सिंह ने भेजा  मानहानि का नोटिस - sanjay singh aam aadmi party mahendra singh defamation  case election ntc - AajTak

સ્પીકરના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, ‘મારા મતે આ NDA અને ઇન્ડિયા ગઠબંધન બંને માટે ચિંતાનો વિષય છે. આજે ટીડીપી અને જેડીયુ કદાચ આ વાત સમજી નહીં શકે. પરંતુ આ જ ભાજપે ૬-૭ રાજ્યોમાં સરકારો પાડી દીધી છે. ટીડીપીના ૬ રાજ્યસભા સાંસદો ભાજપમાં સામેલ થયા. આ પછી પણ જો એનડીએના સાથી પક્ષો ભાજપને સ્પીકર બનવા દે તો તેનું પરિણામ સમજી શકાય છે.

ડેપ્યુટી સ્પીકર માત્ર વિપક્ષમાંથી જ હોવો જોઈએ: અખિલેશ યાદવ

Pin on PNG Images

સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું, ‘ટૂંક સમયમાં જ બધું જાહેર થઈ જશે. લોકસભામાં ડેપ્યુટી સ્પીકર વિપક્ષમાંથી હોવો જોઈએ. આ અમારી પાર્ટીનો પણ અભિપ્રાય છે.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *