હિટવેવ કારણે અમરનાથના બાબા બર્ફાની થઈ રહ્યા છે વિલીન

અમરનાથના બાબા શિવલિંગને પીગળતું રોકવા આ પગલાં ભરવા જરૂરી.

હિટવેવ કારણે અમરનાથના બાબા બર્ફાની થઈ રહ્યા છે વિલીન, શિવલિંગને પીગળતું રોકવા આ પગલાં ભરવા જરૂરી 1 - image

અમરનાથ યાત્રા શરૂ થયાને માત્ર ૧૦ દિવસ થયા છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ હિટવેવના કારણે બાબા બર્ફાની વિલીન થઈ ગયા છે. આ વર્ષે યાત્રા ૨૯ જૂને શરૂ થઈ હતી, જોકે છ જુલાઈએ વિગતો સાંપડી છે કે, અમરનાથ ગુફામાં હિમલિંગ (બરફથી બનેલું શિવલિંગ) પીગળી ગયું છે. ઓછા સમયમાં બાબા બર્ફાની અદૃશ્ય થવા પાછળ ગરમી જવાબદાર છે. તો જાણીએ આ સમસ્યાને અટકાવવા માટે શું પગલાં ભરવા જરૂરી છે.

अमरनाथ यात्रा 2024: बाबा बर्फानी के दर्शन – SGTTimes.com – SGT Latest News,  India News, Breaking News, Today's News

અમરનાથની ગુફામાં કુદરતી રીતે બરફના શિવલિંગનું નિર્માણ થાય છે. ઉનાળામાં આ ગુફાની અંદરનું પાણી થીજી જાય છે, જેના કારણે શિવલિંગનું કદ વધે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે ઓછો વરસાદ પડે છે, ત્યારે કોઈપણ વિસ્તારમાં ગરમી વધે છે. આ ઉપરાંત આ વખતે ભીષણ ગરમી પણ પડી છે. ઉત્તર અને મધ્ય ભારત મે મહિનાથી જ ભીષણ ગરમનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ કાશ્મીર ખીણમાં મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્યથી ૭.૯ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. અમરનાથ ગુફાના પૂજારીઓએ પણ દાવો કર્યો છે કે, આ વખતે ગરમીના કારણે બાબા બર્ફાની પીગળી ગયા છે.

On the first day of Amarnath Yatra, 13,827 devotees took darshan of Baba  Barfani, more than 4.50 lakh registrations so far – News Cubic Studio

હવામાન વિભાગના જમાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વભરમાં જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે. આ કારણે ખીણના લોકો પણ ભીષણ ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે, જેની સીધી અસર બાબા બર્ફાની પર પડી છે. જો કે માત્ર ગ્લોબલ વોર્મિંગ જ નહીં, ગુફાની આસપાસ માનવીય અને યાંત્રિક પ્રવૃત્તિઓ વધવાના કારણે પણ અસર પડી હોય તેવું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *