મોહન ભાગવતે કહ્યું કે કોવિડ-૧૯ મહામારી પછી આખી દુનિયા સમજી ગઈ કે ભારત પાસે શાંતિ અને ખુશીનો રોડમેપ છે. તેમણે એમ પણ કહ્યું કે ‘સનાતન ધર્મ’ માનવજાતના કલ્યાણમાં માને છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે તેઓ દેશના ભવિષ્ય વિશે ક્યારેય ચિંતિત નથી કારણ કે ઘણા લોકો તેની સુધારણા માટે સામૂહિક રીતે કામ કરી રહ્યા છે. ભાગવત ઝારખંડના ગુમલામાં વિકાસ ભારતી નામની બિન-લાભકારી સંસ્થા દ્વારા આયોજિત ગ્રામ્ય સ્તરની કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.
‘દેશના ભવિષ્યની ચિંતા નથી’
આ કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું, ‘દેશના ભવિષ્ય વિશે કોઈ શંકા નથી, સારી વસ્તુઓ થવી જોઈએ. દરેક વ્યક્તિ આ માટે કામ કરી રહ્યા છે, અમે પણ પ્રયાસો કરી રહ્યા છીએ RSS વડાએ કહ્યું કે ભારતના લોકોનો પોતાનો સ્વભાવ છે. ઘણા લોકો નામ કે કીર્તિની લાલસા વગર દેશના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘અમારી પૂજાની શૈલી અલગ છે કારણ કે આપણી પાસે ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે અને 3,800થી વધુ ભાષાઓ બોલાય છે અને ખાવાની આદતો પણ અલગ છે. આ બધા તફાવતો હોવા છતાં, આપણું મન એક છે આ અન્ય દેશોમાં જોવા મળતું નથી.
કહ્યું- પ્રગતિનો કોઈ અંત નથી
મોહન ભાગવતે કહ્યું, ‘શું પ્રગતિનો ક્યારેય અંત હોય છે?… જ્યારે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે હજુ ઘણું કરવાનું બાકી છે… એક માણસ સુપરમેન, પછી દેવ અને પછી ભગવાન બનવા માંગે છે. ..આંતરિક અને બાહ્ય વિકાસનો કોઈ અંત નથી. આ એક સતત પ્રક્રિયા છે. ઘણું બધું કરવામાં આવ્યું છે, પરંતુ હજી ઘણું બાકી છે.