દિલ્હીમાં ત્રણ મોત બાદ પણ ગાંધીનગરનું તંત્ર ઊંઘમાં

ગાંધીનગરમાં બેઝમેન્ટમાં ચાલી રહી છે લાઈબ્રેરી.

દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલ રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ જવાથી 3 વિદ્યાર્થીઓનાં મોત થયા પછી સરકાર એક્શનમાં આવી છે, ત્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (MCD) ગત સોમવારે મુખર્જી નગર વિસ્તારમાં આવેલા દૃષ્ટિ IAS કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતા હોવાથી બિલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને સીલ કરી દેવામાં આવ્યું છે. એવી જ કાંઈ સ્થિતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છે, જ્યાં એક બિલ્ડિંગના ભોંયરામાં રીડિંગ માટે લાયબ્રેરીઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગરમાં સેક્ટર ૨, સેક્ટર ૩ અને સેક્ટર ૮ ના વિસ્તારમાં બેઝમેન્ટમાં ૩ લાયબ્રેરી ધમધમી રહી હોવાનું જાણવા મળ્યું છે.

The basement of Delhi's Rao IAS Academy was flooded | દિલ્હીનું IAS કોચિંગ  સેન્ટર પાણીમાં ગરકાવ: બેઝમેન્ટની લાઇબ્રેરીમાં 2-3 મિનિટમાં જ 12 ફૂટ પાણી  ભરાયું; 2 છોકરી અને ...

રાજકોટની TRP ગેમ ઝોનની ઘટના પછી રાજ્ય સરકારે અનેક ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન, કેફે, રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવ્યાં હતા. જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા બેઝમેન્ટમાં ગેરકાયદેસર ચાલતા રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, પોતાના વતનથી દૂર નોકરી મેળવવાની મનોકામના સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થાય છે. આ દરમિયાન દિલ્લીની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત પછી પણ ગાંધીનગરમાં તંત્રની આંખ ઉઘડતી નથી, આડેધડ ભોંયરામાં લાયબ્રેરી અને ખાનગી મકાનોમાં PG કોઈ જ પ્રકારની પરવાનગી વગર શરૂ રાખવા દે છે.

Top Tutorials in Gift City - Best Private Tutorials - Justdial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *