પ્રથમ સ્વતંત્રતા દિવસ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના જશ્નમાં નહેરુ હાજર રહ્યા પણ ગાંધીજી કેમ નહોતા જોડાયા?

ગાંધીજી કોમી તોફાનો શાંત પાડવા માટે બંગાળના નોઆખલી ગયા હતા, નેહરુએ ગાંધીજીને પત્ર લખીને આઝાદીના આનંદમાં જોડાવા અપીલ કરેલી.

Footage - Pers. - Nehru - 1947 August 15, #01 on Make a GIF

૧૫ મી ઓગસ્ટના રોજ જયારે જવાહરલાલ નેહરુનું પ્રવચન આકાશવાણી પરથી પ્રસારિત થયું ત્યારે દેશના ૩૬ કરોડ લોકોમાં ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું હતું. ૧૪ ઓગસ્ટના રોજા પાર્લામેન્ટના સેન્ટ્રલહોલમાં તિરંગો ફરકાવ્યો હતો.બીજા દિવસે ૦૮:૩૦ વાગે ઇન્ડિયા ગેટ પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. મંત્રીમંડળના ૧૪ સભ્યો સાથે નેહરુએ સરકાર બનાવી હતી.

Footage - Pers. - Nehru - 1947 August 15, #01 on Make a GIF

જો કે સ્વદેશી અને અહિંસક આંદોલનથી દેશને આઝાદી અપાવવાનું જેમનું સપનું હતું તેવા મહાત્મા ગાંધી આઝાદ દેશની પ્રથમ ઉજવણીમાં ભાગ લઇ શકયા ન હતા. આ અગાઉ ૧૫ મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળવાનું એલાન થયું હોવાથી નેહરુએ ગાંધીજીને પત્ર લખીને આઝાદીના આનંદમાં જોડાવા અપીલ કરી હતી.

પ્રથમ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947ના જશ્નમાં નહેરુ હાજર રહ્યા પણ ગાંધીજી કેમ નહોતા જોડાયા? 2 - image

ત્યારે ગાંધીજીએ પત્ર લખીને જણાવ્યું હતું કે હિંદુ મુસલમાનો એક બીજા પર લોહી રેડી રહયા છે ત્યારે આવા સંજોગોમાં હું આવી શકું તેમ નથી. કોમી દંગા રોકવા માટે હું મારો જીવ આપી દેતા પણ ખચકાઇશ નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *