૩૫ લોકોનાં મોતથી પાકિસ્તાનથી ઈરાન સુધી હાહાકાર

શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી બસ પલટી.

શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી બસ પલટી, 35 લોકોનાં મોતથી પાકિસ્તાનથી ઈરાન સુધી  હાહાકાર | middle east bus carrying shia pilgrims from pakistan to iraq  crashes in iran - Gujarat Samachar

પાકિસ્તાનથી ઈરાક જતાં શિયા સમુદાયના શ્રદ્ધાળુઓની એક બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો હતો. માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ જેમાં 35 લોકો મૃત્યુ પામી ગયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી હતી. 

ઈરાનની સરકારી મીડિયા એજન્સીના અહેવાલ મુજબ સ્થાનિક ઈમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટના મંગળવારે રાતે ઇરાનના યજ્દ પ્રાંતમાં સર્જાઈ હતી. જ્યારે પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે બ્રેક ફેલ થઈ જવાને કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ગઇ હતી. જેના લીધે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટનામાં અન્ય ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટનાના સમયે બસમાં ૫૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ લોકો શ્રદ્ધાળુ હતા અને તેઓ અરબઈનની યાદમાં ઈરાક જઈ રહ્યા હતા. ૭ મી સદીમાં એક શિયા ગુરુના નિધનના ૪૦ માં દિવસે અરબઈન મનાવાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *