ભારતે 2-1થી જીતી વનડે સીરીઝ, ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું

ઈંગ્લેન્ડની અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરુર હતી. પરંતુ નટરાજને શાનદાર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા હતા. સેમ કરન 95 રન બનાવી નોટાઆઉટ રહ્યો હતો. સેમ કરન શાનદાર ઈનિંગ રમવા છતા ટીમને જીત ન અપાવી શક્યો. ઈન્ડિયાએ ટેસ્ટ અને ટી20 બાદ વનડે સીરીઝમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું છે.

તસવીર BCCI

India vs England 3rd ODI: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે સીરીઝની  અંતિમ મેચમાં  ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. ભારતે ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી લીધી છે. ખૂબ જ રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયા બાજી મારવામાં સફળ થયું છે.  આ સાથે જ ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ઈંગ્લેન્ડની અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરુર હતી. પરંતુ નટરાજને શાનદાર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા હતા. સેમ કરન 95 રન બનાવી નોટાઆઉટ રહ્યો હતો. સેમ કરન શાનદાર ઈનિંગ રમવા છતા ટીમને જીત ન અપાવી શક્યો. ઈન્ડિયાએ ટેસ્ટ અને ટી20 બાદ વનડે સીરીઝમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી છે.

ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત ત્રીજી શ્રેણી પોતાના નામે કરી છે. આ પહેલાંની પણ બંને સીરિઝ ભારત જીત્યું હતું.  આ પહેલાં જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાને 2-1થી અને ડિસેમ્બર 2019માં વેસ્ટ ઇન્ડિઝને 2-1થી માત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *