NCP શરદ પવાર જૂથે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને (એનસીપી) શરદચંદ્ર પવાર જૂથે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. એનસીપી (શરદ પવાર) ના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ ઇસ્લામપુરથી ચૂંટણી લડશે

.NCP (SP) to Announce First List of Assembly Election Candidates on October  18 or 19 | The Bridge Chronicle

 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને (એનસીપી) શરદચંદ્ર પવાર જૂથે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી તરફથી ૪૫ ઉમેદવારોની જાહેરાત કરી છે. એનસીપી (શરદ પવાર) ના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે યાદી જાહેર કરી હતી. યાદી અનુસાર જયંત પાટીલ ઇસ્લામપુરથી ચૂંટણી લડશે. જિતેન્દ્ર આવ્હાડ મુમ્બ્રાથી ચૂંટણી લડશે. અનિલ દેશમુખ કાટોલથી ચૂંટણી લડશે. રોહિત પવાર કર્જત જામખેડેથી અને રોહિણી ખડસે મુક્તાઇનગરથી ચૂંટણી લડશે.

અજિત પવાર સામે ભત્રીજા યુગેન્દ્ર પવારને ટિકિટ

अजित पवारांच्या कुटुंबातीलच व्यक्ती आता मैदानात; सख्खा पुतण्या म्हणतो "शरद  पवार साहेब म्हणतील तसं.." | ajit pawar nephew yugendra pawar likely join  hands with sharad ...

શરદ પવારે બારામતી સીટ પરથી અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને મેદાનમાં ઉતાર્યો છે. યુગેન્દ્ર શરદ પવારનો પૌત્ર અને અજિત પવારના ભાઇ શ્રીનિવાસ પવારનો પુત્ર છે.

Yugendra Pawar: 'आता वेळ आली...', युगेंद्र पवारांनी घातला थेट  बारामतीकरांच्या काळजालाच हात! - sharad pawar is a god for baramati time has  come we have to do something for saheb yugendra pawar

ચૂંટણી પહેલા રાજ્યમાં સત્તા પર રહેલી અજિત પવારની એનસીપીને ઝટકો લાગ્યો છે. અજિત પવાર જૂથના એનસીપી નેતા સમીર ભુજબળે પાર્ટી છોડી દીધી છે. રાજ્ય સરકારમાં મંત્રી અને વરિષ્ઠ નેતા છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળ એનસીપીના મુંબઇ યુનિટના પ્રમુખ હતા. તેમણે નાંદગાંવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે.

Yugendra Pawar : निकालानंतर युगेंद्र पवार यांचा पहिला बळी; अजितदादांचा  पहिलाच सर्वात मोठा डाव; बारामतीच्या आखाड्यात काय घडलं? - Marathi News | Is  NCP angry with ...

વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) એ તાજેતરમાં સીટ-વહેંચણી સમજૂતીને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જે અંતર્ગત ગઠબંધનના ત્રણ પક્ષો વચ્ચે ૨૮૮ મતક્ષેત્રોમાંથી ૨૫૫ બેઠકો નક્કી કરવામાં આવી છે, જેમાં પ્રત્યેકને ૮૫ બેઠકો મળી છે. જો MVA ચૂંટણી જીતે તો આ સમજુતી શરદ પવારના જૂથને મુખ્યમંત્રીના પદ માટે એક મજબૂત દાવેદાર તરીકે સ્થાપિત કરે છે. શરૂઆતમાં લગભગ ૭૫-૮૦ બેઠકો પર લડવાનું લક્ષ્ય રાખતા, NCP (SP) એ વાટાઘાટો દરમિયાન વધુ સીટો મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *