આજે ધનતેરસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. આજે ૨૯ ઓક્ટોબર ૨૦૨૪, મંગળવારના રોજ ધનતેરસ છે. આ વખતે પાંચ દિવસને બદલે આ મહાપર્વ છ દિવસ સુધી ચાલશે. આ વખતે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગનો સંયોગ છે, જે ધન, સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે. મૂડી રોકાણ અને ખરીદી માટે આ ખાસ કરીને શુભ છે.
આ સંયોગ પણ બે દિવસથી બની રહ્યો છે. ત્રિપુષ્કર યોગ ૨૯ ઓક્ટોબરના રોજ સવારે ૦૬:૩૨ વાગ્યાથી શરૂ થશે અને ૩૦ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી ચાલશે.જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ત્રયોદશી તિથિ ૨૯ ઓક્ટોબરે સવારે ૧૦.૩૧ વાગ્યાથી શરૂ થશે અને તેની સાથે જ ધનતેરસની ખરીદીનો શુભ સમય શરૂ થઈ જશે.
લાભ ચોઘડિયાનો શુભ સમય સવારે ૧૦:૪૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે. અમૃત ચોઘડિયાનું શુભ મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી ૦૧:૩૦ વચ્ચે રહેશે. બપોરના ૦૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યાની વચ્ચેનો નિશ્ચિત ચડતો, સાંજે ૦૭:૧૨ થી ૦૮:૪૯ વાગ્યા સુધીનો લાભ ચોઘડિયા પણ ખરીદી માટે શ્રેષ્ઠ રહેશે.અમુક ખાસ અને વિશિષ્ટ મુર્હુત:ઘર/મકાન/ફ્લેટ બુકિંગ/રોકાણ માટે શુભ મુર્હુત:શુભ મુર્હુત- બપોરે ૦૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યાની વચ્ચેવાહન ખરીદી માટે શુભ મુર્હુત-શુભ મુર્હુત: બપોરે ૧૨:૦૦ થી ૦૧:૩૦ સોનું, ચાંદી/દાગીનાઓ ખરીદવા માટેનો શુભ મુર્હુત-શુભ મુર્હુત સવારે ૧૦:૪૦ થી ૧૨:૦૦ અને સાંજે ૦૭:૧૨ થી ૦૮:૪૯ છે.ખરીદી માટે બે દિવસ:આસો કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ ૨૯ ઓક્ટોબર, સવારે ૧૦:૩૨. થી શરૂ થાય છે, આસો કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ ૩૦ ઓક્ટોબર, બપોરે ૦૧:૧૬ વાગ્યે સમાપ્ત થાય છેત્રિપુષ્કર યોગ શું છે?ત્રિપુષ્કર યોગ મહાલક્ષ્મીનો છે. ત્રિપુષ્કર યોગમાં ખરીદી કરવાથી ત્રણ ગણો ફાયદો મળે છે.