ડાયાબિટીસના દર્દીઓએ તેમના રોજિંદા ડાયટમાં શું ખાવું અને શું ન ખાવું તે અંગે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે કોઈ ફૂડ ખૂબ ખાંડયુક્ત અથવા ખૂબ વધારે કેલરી હોય તે બ્લડ સુગર લેવલમાં વધારો કરી શકે છે.
ડાયાબિટીસ એક સ્વાસ્થ્ય સમસ્યાછે જે શરીરમાં બ્લડ સુગરના અનિયમિત લેવલ દ્વારા માપવામાં આવે છે. ડાયાબિટીસની બીમારી ત્યારે થાય છે જયારે શરીરમાં કાં તો ઇન્સ્યુલિન હોર્મોનનું ઉત્પાદન ઓછું થતું હોઈ અથવા ન થતું હોઈ અથવા ઇન્સ્યુલિન શરીરમાં બ્લડ સુગર સાથે અસરકારક રીતે પ્રક્રિયા કરવામાં સક્ષમ ન હોય. ડાયાબિટીસ ૨ ટાઈમની હોય છે જેમાં ટાઈપ ૧ અને બીજી ટાઈપ ૨ ડાયાબિટીસ.
ડાયાબિટીસના દર્દીઓએ તેમના રોજિંદા ડાયટમાં શું ખાવું અને શું ન ખાવું તે અંગે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે કોઈ ફૂડ ખૂબ ખાંડયુક્ત અથવા ખૂબ વધારે કેલરી હોય તે બ્લડ સુગર અથવા હાઈપરગ્લાયકેમિઆના લેવલમાં વધારો કરી શકે છે, જેના પરિણામે થાક અથવા અન્ય આરોગ્ય સમસ્યા જેવા લક્ષણો જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓને તેમના લોહીના સ્તરમાં અચાનક સ્પાઇક્સ અથવા ઘટાડો અટકાવવા માટે ફક્ત તંદુરસ્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે, અને સફેદ તલ એ એક શિયાળા નો ખોરાક છે જે શિયાળા દરમિયાન ડાયાબિટીસના દર્દીઓને મદદ કરી શકે છે.
તલના ફાયદા
- તલ બે પ્રકારના હોય છે સફેદ અને બ્લેક તલ છે જેમાંથી તલના લાડુ અને ગજક સહિતની શિયાળાની મીઠાઈની તૈયારીઓ કરવામાં આવે છે.
- શિયાળામાં તલ સેવન કરવાનું કારણ તલની તાસીર ગરમ છે જે શરીરને ગરમ રાખે છે અને તેથી તે ઠંડા હવામાનથી બચાવી શકે છે.
- આ સિવાય તલ ઉર્જાનો સ્ત્રોત પણ ગણવામાં આવે છે. શિયાળાની ઠંડી તમને વધુ વખત થાકનો અનુભવ કરાવે છે અને તમારા ભોજનમાં તલનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે.
શું તમે જાણો છો કે તલ ખાવાથી શિયાળામાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ મળી શકે છે.
તલએ ટાઈપ ૨ ડાયાબિટીસના લક્ષણો દૂર કરે
- તલએ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે બંને પોષક તત્ત્વોને સંતોષતા હોય છે, જે ભૂખને કંટ્રોલમાં રાખે છે. સફેદ તલના ૧૦૦ ગ્રામ ભાગમાં ૧૨ ગ્રામ ફાઇબર અને ૧૮ ગ્રામ પ્રોટીન હોય છે, જેનો અર્થ છે કે આ બીજનું સેવન કરવાથી લોહીમાં ગ્લુકોઝ ધીમું રિલીઝ કરવાનું સુનિશ્ચિત થઈ શકે છે, આમ બ્લડ સુગરમાં કોઈ પણ પ્રકારના સ્પાઇક્સને અટકાવી શકાય છે.
- તલ પણ મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. ૧૦૦ ગ્રામ તલમાં ૩૫૧ મિલિગ્રામ મેગ્નેશિયમ હોય છે. ડાયાબિટીસના સંખ્યાબંધ દર્દીઓમાં તેમના શરીરમાં મેગ્નેશિયમની ઉણપ જોવા મળે છે, કારણ કે લોહીમાં શર્કરાનું લેવલ ઊંચું હોવાથી વારંવાર પેશાબ થાય છે અને મેગ્નેશિયમ ખનીજ ઘણીવાર પેશાબમાં શરીરમાંથી બહાર નીકળી જાય છે.
- તલ બ્લડ સુગર લેવલને ઘટાડવા માટે જાણીતા છે. એક અભ્યાસ દર્શાવે છે કે જે લોકોએ તલના તેલનું સેવન કર્યું હતું તેમના ૬૦ દિવસના અવલોકન દરમિયાન બ્લડ સુગર લેવલમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. આ ઉપરાંત તલમાં પોલી અને મોનોઅનસેચ્યુરેટેડ ચરબી પણ સારી માત્રામાં હોય છે. પહેલાના દર્દીઓમાં ટાઈપ ૨ ડાયાબિટીસની ધીમી પ્રગતિ સાથે સંકળાયેલ છે. તેથી જ શિયાળા દરમિયાન તલ ડાયાબિટીસ માટે આદર્શ અને અનુકૂળ નાસ્તો છે.