અરવિંદ કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ

માલવીયા નગરમાં પદયાત્રા સમયે બની ઘટના.

Aam Aadmi Party vs BJP after liquid thrown at former Chief Minister Arvind  Kejriwal during padyatra in Delhi - India Today

દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે, હુમલાનો પ્રયાસ કરનારા એક વ્યક્તિને સુરક્ષા કર્મચારીઓએ દબોચી લીધો હતો. મળતી માહિતી અનુસાર, એક વ્યક્તિ દ્વારા કેજરીવાલ પર પાણી ફેંકવાનો પ્રયાસ કરાયો હતો.

Arvind Kejriwal Security; Delhi Ex-CM Padyatra Attack Update | केजरीवाल पर  दिल्ली में पदयात्रा के दौरान हमला: आरोपी हिरासत में; AAP बोली- पूर्व CM पर  भाजपा ने हमला करवाया ...

દિલ્હીના માલવિયા નગરમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર પાણી ફેંકવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માલવિયા નગર વિસ્તારમાં પદયાત્રા દરમિયાન એક વ્યક્તિએ કેજરીવાલ પર પાણી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તરત જ દિલ્હી પોલીસના જવાનોએ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીનું નામ અશોક ઝા હોવાનું કહેવાય છે.

Man Tries To Attack Arvind Kejriwal: Throws Liquid On Him | WATCH -  TheDailyGuardian

કેજરીવાલ પરના હુમલા પર દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘ભાજપના નેતાઓ તમામ રાજ્યોમાં રેલીઓ કરે છે, તેમના પર ક્યારેય હુમલો થતો નથી. અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો થઈ રહ્યા છે. નાંગલોઈમાં ભાજપે તેમના પર હુમલો કર્યો હતો, છતરપુરમાં તેમના પર હુમલો થયો હતો. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે અને કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી કંઈ કરી રહ્યા નથી. આજનો હુમલાખોર સીધો ભાજપ સાથે જોડાયેલો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *