નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે 2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કોરોનાનું સંક્રમણ વધતા આણંદનું ચાંગા ગામ સ્વૈચ્છિક બંધ રહેશે. આણંદના પેટલાદ ગામે ગ્રામજનોએ ચાંગા ગામને સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આવતીકાલથી 13 એપ્રિલ સુધી બંધ ચાંગા ગામ સ્વયંભૂ બંધ રહેશે. સવારે 6થી 10 અને સાંજે 5થી 8 વાગ્યા સુધી જરૂરીયાતની ચીજ વસ્તુઓ માટે બજારો ખુલ્લી રાખવામાં આવશે. આણંદ ગ્રામ્યમાં કોરોનાના 16 જેટલા એક્ટિવ કેસ થતા ગ્રામજનોએ ચાંગા ગામને સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય લીધો છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.
ગુજરાતમાં ક્યાં નોંધાયા કેટલા કેસ ?
અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.