કંગના વિફરી : અનિલ દેશમુખના રાજીનામા પર કંગના ફરી વિફરી, જાણો શું કહ્યું…

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના બેબાક નિવેદનો માટે જાણીતી છે. તે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે. ત્યારે હવે કંગનાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ના રાજીનામા બાદ તેનો જવાબ આપ્યો છે. આ સાથે અભિનેત્રીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું છે.

એક ટ્વિટર યુઝરે કંગનાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલી રહી છે, ‘આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારો ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખવું હંમેશાં એક સરખું નથી હોતું. કંગનાએ તેનું ટ્વિટ રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, “સ્ત્રીને મારવા અને અપમાન કરનારા સાધુઓનો પતન નિશ્ચિત છે, આ તો માત્ર શરૂઆત છે, આગળ આગળ જોવો શું થાય છે?” આ સાથે અભિનેત્રીએ હેશટેગ સાથે અનિલ દેશમુખ અને ઉદ્ધવ ઠાકરેના નામ લખ્યા છે.

ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પછી ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2020માં BMCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ પછી, કંગનાએ એક વીડિયો બહાર પાડ્યો અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે આકરી પ્રતિક્રિયા આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *