બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી

જયશંકર સાથેની બેઠકમાં કહ્યું- ભારતને નહીં થવા દઈએ કોઈ ખતરો.

બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી: જયશંકર સાથેની બેઠકમાં કહ્યું- ભારતને નહીં થવા દઈએ કોઈ ખતરો 1 - image

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના વિદેશી મામલાઓના સલાહકાર તૌહીદ હુસૈને ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો અને પાકિસ્તાનને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સાથે તેમણે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે થઇ રહેલી હિંસાનો પણ જવાબ આપ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે શેખ હસીનાની સરકારનું પતન થયા પછી બાંગ્લાદેશમાં થયેલી રાજકીય ઉથલપાથલ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘ઢાકા તરફથી કોઈ એવું પગલું નહી ભરવામાં આવે જે ભારત વિરુદ્ધ હોય.’ આ દરમિયાન ઓમાનમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને તૌહીદ હુસૈન વચ્ચે મુલકાત થઇ હતી. 

No apprehension of war between India and Bangladesh: Foreign Adviser on  Rajnath's remarks – The Daily Industry

તૌહીદ હુસૈને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતને લઈને જણાવ્યું હતું કે, ‘બંને દેશો વચ્ચે સારા સંબંધો હોવા જરૂરી છે. જયશંકર સાથે મારી મુલાકાત સારી રહી હતી. બંને દેશો વચ્ચે વેપાર વધી રહ્યો છે. મને લાગે છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પરસ્પર લાભદાયક સંબંધોની જરૂર છે. અમે આ અંગે સતત કામ કરી રહ્યા છીએ.’ 

Bangladesh protests: Sheikh Hasina flies to India, thousands storm her  official residence - India Today

હાલમાં જ બંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ સામે થઇ રહેલી હિંસા અંગે એક રિપોર્ટ સામે આવ્યો હતો. જેના પર ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. જેને લઈને હુસૈને કહ્યું હતું કે, ‘હિન્દુ પણ મુસલમાનની જેમ બાંગ્લાદેશના નાગરિક છે. તેમની સુરક્ષા કરવાની જવાબદારી સરકારની છે અને અમે અમારી લઘુમતીઓની ધ્યાન રાખી રહ્યા છીએ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ કોઈ મુદ્દો ન હોવો જોઈએ. આ અમારો આંતરિક મામલો છે.’ 
પાકિસ્તાન સાથેના બાંગ્લાદેશના સંબંધોને લઈને તૌહીદ હુસૈને કહ્યું હતું કે, ‘વિઝા સિસ્ટમને કારણે પાકિસ્તાનને અલગ રાખવામાં આવ્યું હતું. અમે પાકિસ્તાનને એક બીજા દેશ તરીકે જ જોઈએ છીએ. પાકિસ્તાનની સામાન્ય મુલાકાત પર પણ હોબાળો મચી જવો એ યોગ્ય નથી. અમે અન્યો દેશોની જેમ સંબંધો સામાન્ય કરી રહ્યા છીએ. જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન સાથેના સંબંધોને લીધે ભારતની સુરક્ષા પર કોઈ ખતરો આવશે નહી.’  
ઢાકા ખાતે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘર પર કરવામાં આવેલા હુમલા અંગે હુસૈને કહ્યું કે, ‘હું આને સાચું કૃત્ય માનીશ નહી પરંતુ તેનું કારણ શેખ હસીના તરફથી આપવામાં આવેલું નિવેદન છે. હું ઈચ્છું છું કે હસીના ચૂપ રહે. હું એ પણ સ્પષ્ટ કરવા માંગું છું કે બાંગ્લાદેશની ઓળખ કોઈ એક ઈમારત નથી.’  
આગામી સમયના બાંગ્લાદેશમાં ચૂંટણી યોજવાને લઈને તેમણે કહ્યું કે, ‘દેશના રાજકારણમાં ફેરફાર થયો છે. અમે અમુક સુધારાઓમાંથી પસાર થઇ રહ્યા છીએ. અમારો ઇરાદો સુધારાઓ લાગુ કર્યા બાદ ચૂંટણી કરાવવાનો છે. અમને આશા છે કે આ ખુબ વહેલું થઇ જશે.’ અમરિકા સાથેના સંબંધોને લઈને તેમણે કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશે હંમેશા અમેરિકા સાથેના સંબંધોને મહત્ત્વ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં જ સત્તામાં આવ્યા છે જેથી અમુક બાબતો બની શકે છે, જેનો ઉકેલ મેળવી લેવામાં આવશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *