ખરાબ લાઇફસ્ટઇલ અને નબળા આહારને કારણે મોટા ભાગના લોકો મેદસ્વી બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે તમામ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ આ પછી પણ જો વજન ઓછું ન થાય તો આવે ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ખરાબ લાઇફસ્ટઇલ અને નબળા આહારને કારણે મોટા ભાગના લોકો મેદસ્વી બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે તમામ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ આ પછી પણ જો વજન ઓછું ન થાય તો આવે ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ૧૬:૮ ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ એ વજન ઉતારવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તે માત્ર વજન ઘટાડવામાં ઉપરાંત મેટાબોલિઝમ સુધારવા, બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.
આ એક એવી રીત છે જેમાં આપણે નિશ્ચિત સમય દરમિયાન કશું ખાતા નથી અને નાના સમયમાં ખોરાક ખાઈએ છીએ. નિષ્ણાંતોના મતે જો યોગ્ય રીતે ફોલો કરવામાં આવે તો આ ફાસ્ટિંગ નબળાઇ વિના વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ડાયેટિશિયન મીના કોરીએ જણાવ્યું હતું કે ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ શું છે અને ઇન્ટરમિટેંટ ફાસ્ટિગના ફાયદા શું છે.
૧૬:૮ ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ એટલે શું?
ઇન્ટરમિટેંટ ફાસ્ટિગનો અર્થ એ છે કે દિવસમાં ૧૬ કલાક ઉપવાસ કરવો અને બાકીના 8 કલાક દરમિયાન ખોરાક લેવો. જેમ કે સવારે ૧૦:૦૦થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી ભોજન કરો અને પછી બીજા દિવસે સાંજે ૦૬:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ઉપવાસ કરો. આ ફાસ્ટિંગ પ્લાનને ફોલો કરવાથી શરીરના વજનને ઝડપથી ઘટાડવામાં મદદ મળી શકે છે.
- ફાસ્ટિંગ વિન્ડો (૧૬ કલાક) – આ દરમિયાન તમે માત્ર પાણી, ગ્રીન ટી, બ્લેક કોફી અથવા હર્બલ ટી જ પી શકો છો.
- ઇટિંગ વિન્ડો (૮ કલાક) – આ દરમિયાન તમારે હેલ્ધી અને સંતુલિત ડાયેટ લેવું જોઈએ.
૧૬:૮ ઇન્ટરમિટેંટ ફાસ્ટિગ શેડ્યુલ ફોલો કરો
સવારે (ફાસ્ટિંગ પીરિયડ)
- સવારે ૦૭:૦૦ – ૧ ગ્લાસ નવશેકું પાણી + લીંબુ
- સવારે ૦૯:૦૦ – ગ્રીન ટી અથવા બ્લેક કોફી (ખાંડ વગરની)
બ્રેકિંગ ધ ફાસ્ટ (પ્રથમ ખોરાક સવારે ૧૦:૦૦)
- ઓટ્સ, ઉપમા, મગ દાળની ચીલા, ઇંડા, ફણગાવેલા કઠોળ અથવા ડ્રાયફ્રૂટ્સ
- પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર નાસ્તો કરો
બપોરનું ભોજન (બપોરે ૦૧:૩૦)
- રોટલી/બ્રાઉન રાઈસ + શાકભાજી + દાળ + દહીં/છાશ
- સલાડ અને લીલા શાકભાજીનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં
સાંજનો નાસ્તો (સાંજે ૦૪:૩૦થી સાંજે ૦૫:૩૦)
- મુઠ્ઠીભર શેકેલા ચણા, મખાના, બદામ, ગ્રીન ટી અથવા નાળિયેર પાણી
- તળેલો અને મીઠો ખોરાક લેવાનું ટાળો
સાંજનું ભોજન (સાંજે ૦૬:૦૦ થી ૦૬:૩૦)
હળવો અને ઝડપથી પચી શકે તેવો આહાર લો –સૂપ, દાળ, ભાત, પનીર, ગ્રીલ્ડ વેજિટેબલ્સ અથવા વેજિટેબલ ખીચડી
સાંજે ૦૬:૩૦ વાગ્યા પછી ફાસ્ટિંગ શરૂ
- માત્ર પાણી, ગ્રીન ટી કે હર્બલ ટી જ પી શકાય છે
- કોઈ નક્કર ખોરાક ન લો.
૧૬:૮ ઉપવાસના ફાયદા
આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઇન્ટરમિટેંટ ફાસ્ટિગથી શરીરની સર્કેડિયન ક્લોક પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. આ ઉપવાસનું નિયમિત પાલન કરવાથી વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. આનાથી કેલરી કંટ્રોલમાં રહે છે અને ચરબીને ઝડપથી બર્ન કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. આ બ્લડ સુગર અને ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રણમાં રાખે છે. આ ઉપવાસના નિયમનું પાલન કરવાથી મેટાબોલિઝમ વધે છે. આ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કેલરી બર્ન કરવાની ક્ષમતા વધારે છે. તે પેટની સમસ્યાઓ, કબજિયાત, પેટનું ફૂલવું અને એસિડિટીથી પણ રાહત આપે છે.