પીએમ મોદી ગુજરાતની ૩ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે રિલાયન્સના જામનગર સ્થિત વનતારાની મુલાકાત લેશે અને બપોર બાદ સોમનાથ – સાસણગીર જશે.
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની ૩ મુલાકાતે આવ્યા છે. આજે પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. પીએમ મોદી શનિવાર સાંજે જામનગર આવી પહોંચ્યા હતા. પીએમ મોદી ૨ માર્ચે જામનગરમાં મુકેશ અંબાણીના વનતારાની મુલાકાત લેશે. બપોરે તેઓ ગીર સોમનાથ જશે ત્યાં સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર પછી ૦૪:૦૦ વાગેની આસપાસ સાસણગીર જશે. સાસણગીરમાં વનવિભાગની કોન્ફરન્સમાં ભાગ લેશે. પીએમ મોદી સાસણગીરમાં આવેલા સિંહ સદનમાં રાત્રિરોકાણ કરશે.
પીએમ મોદીએ રમઝાન માસની શુભકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રમઝાન માસની શરૂઆતની શુભકામના પાઠવી. તમને જણાવી જઇયે કે, મુસલમાન લોકોને પવિત્ર રમઝાન માસ ૧ માર્ચ, ૨૦૨૫ થી શરૂ થયો છે.
