પીઓકે પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો

લંડનમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, મને લાગે છે કે હવે જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના તે ભાગની વાપસી છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. જ્યારે તે પાછું મળશે, ત્યારે કાશ્મીરનો ઉકેલ આવી જશે.

Image

જયશંકર પીઓકે પર: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીરની સ્થિતિ અને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે ખુલીને વાત કરી હતી. જયશંકરે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા, કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ, સામાજિક ન્યાયની પુન:સ્થાપના તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજવા જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

Image

એસ. જયશંકર લંડન સ્થિત ચાથમ હાઉસ થિંક ટેન્કમાં ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનો માત્ર તે જ ભાગ સમસ્યાના સંપૂર્ણ સમાધાનથી અસ્પૃશ્ય રહ્યો છે, જે ભારતના પડોશી દેશ પાકિસ્તાનના કબજા હેઠળ છે, જેના પર પડોશી દેશ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે. તેના પાછો મળવાથી બધું જ ઉકેલાઈ જશે.

Image

વિદેશ મંત્રી જયશંકરને કાશ્મીરના મુદ્દાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “અમે ખરેખર કાશ્મીરમાં ખૂબ સારું કામ કર્યું છે. મને લાગે છે કે અમે તેના મોટાભાગના મુદ્દાઓને હલ કરવા માટે કામ કર્યું છે. મને લાગે છે કે કલમ ૩૭૦ દૂર કરવી એ પહેલું પગલું હતું. બીજું અને ત્રીજું પગલું જમ્મુ-કાશ્મીરમાં સારી મતદાન ટકાવારી સાથે વિકાસ, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક ન્યાયને પુનઃસ્થાપિત કરવાનું હતું.

“મને લાગે છે કે જે દિવસની આપણે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના તે ભાગની વાપસી છે, જે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યો છે. જ્યારે તે આવશે, ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીરનો ઉકેલ આવી જશે.

Image

જયશંકર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિશે નિવેદનો આપી ચૂક્યા છે

Kashmir issue will be resolved when PoK is returned to India: Jaishankar -  The Statesman

આ પહેલા વિદેશ મંત્રી જયશંકરે ૯ મે ૨૦૨૪ ના રોજ ભારપૂર્વક કહ્યું હતું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ભારતનો એક ભાગ છે. તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીય રાજકીય પક્ષ POK ભારતને પરત મળે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજ, નવી દિલ્હીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, “હું પીઓકે વિશે એટલું જ કહી શકું છું કે આ દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે પીઓકે, જે ભારતનો એક ભાગ છે, તે ભારતને પરત મળે. આ અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે.

Kashmir: पाकिस्तान लौटाए चोरी किया हुआ कश्मीर, जयशंकर बोले - PoK वापस मिलते  ही सुलझेगा पूरा मसला

જયશંકરે એમ પણ કહ્યું કે, ઓગસ્ટ ૨૦૧૯ માં કલમ ૩૭૦ હટાવવાથી લોકો માટે POK મુદ્દા પર પણ વિચારવાનો માર્ગ મોકળો થયો છે. આખરે અમે કલમ ૩૭૦ પર યોગ્ય નિર્ણય લીધો હોવાથી, પીઓકે નો મુદ્દો લોકોની વિચારસરણીમાં આવી ગયો છે. કંઈપણ કરવાની પહેલી શરત એ છે કે તેને તમારા વિચારોમાં હોય.

Incorporating entire Kashmir into India will resolve crisis with Pakistan:  Jaishankar

૫ મે, ૨૦૨૪ ના રોજ, વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું હતું કે પીઓકે ભારતનો એક ભાગ છે અને લોકો તેને ભૂલી જવા માટે મજબૂર છે. ઓડિશાના કટકમાં એક કાર્યક્રમ દરમિયાન પીઓકે માટે ભારતની યોજના પર પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે પીઓકેને આ દેશથી ક્યારેય અલગ કરી શકાય નહીં. તે આ દેશનો એક ભાગ છે. ભારતીય સંસદનો ઠરાવ છે કે POK ભારતનું અભિન્ન અંગ છે.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારતે આઝાદીના શરૂઆતના વર્ષોમાં પાકિસ્તાનને આ વિસ્તાર ખાલી કરવા માટે કહ્યું ન હતું, જેના કારણે આ દુ:ખદ સ્થિતિ ચાલુ રહી હતી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે જ્યારે તમારી પાસે કોઇ એવી વ્યક્તિ હોય છે જે સદનના જવાબદાર સંરક્ષક નથી તો કોઇ બહારથી ચોરી કરે છે. વિદેશ પ્રધાને કહ્યું કે લોકોને પીઓકે મુદ્દાને ભૂલી જવાની ફરજ પડી હતી અને તે ફરીથી લોકોની ચેતનામાં લાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *