પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. પીએમ મોદી સવારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે. તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપકો ડૉ. કેશવ હેડગેવાર અને માધવરાવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપશે. શ્રી ગોલવલકરને ગુરુજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી દીક્ષા ભૂમિ જશે અને ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.
પ્રધાનમંત્રી સવારે લગભગ 10 વાગ્યે નાગપુરમાં માઘવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ કરશે. તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી નાગપુરમાં સોલાર ડિફેન્સ એરોસ્પેસ લિમિટેડ ખાતે લોઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને ડ્રોન માટે રનવે સુવિધાનું ઉદ્ઘાટન પણ કરશે.
આ પછી, પ્રધાનમંત્રી બપોરે લગભગ 3.30 વાગ્યે છત્તીસગઢના બિલાસપુર જશે. પીએમ મોદી ૩૩,૭૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધવાના છે.
છત્તીસગઢમાં અનેક વીજ પ્રોજેક્ટ્સ ગ્રીડને મજબૂત બનાવશે અને વીજળીની ઉપલબ્ધતામાં વધારો કરશે. છત્તીસગઢના આદિવાસી અને ઔદ્યોગિક વિસ્તારોમાં, ખાસ કરીને કનેક્ટિવિટી વધારવા માટે અનેક રેલ અને રોડ પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
શિક્ષણ માળખાને મોટો વેગ આપવા માટે, પ્રધાનમંત્રી છત્તીસગઢના ૨૯ જિલ્લાઓમાં ૧૩૦ પીએમ શ્રી શાળાઓ સમર્પિત કરશે. દરેક માટે ઘરના સ્વપ્નને સાકાર કરવા માટે, રાજ્યના ત્રણ લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ઘરવખરી આપવામાં આવશે.