સુરતથી ફરવા આવેલા ત્રણના તાપી નદીમાં ડૂબી જતાં મોત

સુરતના કામરેજ તાલુકામાં કરૂણ ઘટના ઘટી છે. સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ ફરવા આવેલા ૫ લોકોમાંથી ૩ લોકો તાપી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. જેમાં એક મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. 

TAPI

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિરે સુરતથી 5 લોકો ફરવા આવ્યા હતા. આ દરમિયાન મંદિર પાસે વહેલી તાપી નદીમાં એક મહિલા અને બે પુરૂષો ડૂબી જતાં મોત નીપજ્યા હતા.

કામરેજના ગળતેશ્વર નજીક દુઃખદ ઘટના, સુરતથી ફરવા આવેલા ત્રણના તાપી નદીમાં ડૂબી જતાં મોત 2 - image

બનાવની જાણ થતાં ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી મૃતકોની ઓળખ થઇ નથી પરંતુ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *