West Bengal Elections 2021: બંગાળમાં આજે ચોથા તબક્કાનું મતદાન, BJP-TMC વચ્ચે આકરી ટક્કર

આજથી 10 એપ્રિલના રોજ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં ઉત્તર બંગાળમાં કૂચબિહાર, અલીપુરદ્રાર, દક્ષિણ 24 પરગણા, હાવડા અને હુગલીમાં 44 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. મતદાન માટે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચે મતદાન માટે 44 સીટોના 15,940 બૂથો પર કેંદ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF) ની ઓછામાં ઓછી 789 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણી જગ્યાએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. તો બીજી તરફ ટીએમસી તરફથી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ ઘણી વિધાનસભામાં જનસભાઓ સંબોધી છે.

તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે.

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021  ના ચોથા તબક્કામાં ભાજપની સાંસદ લોકેટ ચેટર્જી હુગલીની ચુચુડા અને નિતિશ પ્રામાણિક કૂચબિહારની દિનહાટા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ચૂંટણી લડતાં હોવાથી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભગવા પાર્ટી યોગ્ય ઉમેદવાર નથી, જેના લીધે તેમણે પોતાના સાંસદોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા પડ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે મીર જાફરએ 1957 માં પ્લાસીની ઐતિહાસિક લડાઇમાં બંગાળના નવાજ સિરાજ-ઉદ-દૌલાની સાથે ગદ્દારી કરી હતી. તો બીજી તરફ રાજીવ બેનર્જીએ ચૂંટણી સભાઓમાં કહ્યું કે ટીએમસીની ‘ભ્રષ્ટ નીતિઓ’, તેમના નેતાઓના અહંકાર અને જન વિરોધી નિર્ણયોનાલ ઈધે પાર્ટી રહેવું અસંભવ થઇ ગયું છે.

આજે શનિવારે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં ટીએમસી (TMC) માંથી ભાજપમાં (BJP) માં જોડાયેલા રાજીવ બેનર્જીની કિસ્મતનો નિર્ણય પણ થશે. પૂર્વમંત્રી રાજીવ બેનર્જી હાવડા જિલ્લાના દોમજુરથી ચૂંટણી લડી રહ્યા છે. ટીએમસીનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા રાજીવ બેનર્જી લગભગ દરેક ચૂંટણી સભામાં ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીને ‘ગદ્દાર’ અને ‘મીર જાફર’ કહી ચૂક્યા છે.

ચોથા તબક્કામાં થનાર હાઇ પ્રોફાઇલ મુકાબલામાં કલકત્તામાં બંગાળી ફિલ્મ ઇંડસ્ટ્રીનું હદય કહેવાતા ટોલીગંજથી બાબુલ સુપ્રિયો અને હાલના ધારાસભ્ય અરૂપ બિસ્વાસ વચ્ચે જંગ રસપ્રદ રહેશે. તો બીજી તરફ ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જી સતત ચોથીવાર વિધાનસભા ચૂંટણી જીતવાની કવાયતમાં બેહાલા પશ્વિમ સીટ પરથી ભાજપના ઉમેદવાર અને ફિલ્મ એક્ટ્રેસ શ્રાબંતી ચેટર્જીને ટક્કર આપશે.

કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો, પશ્વિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અરૂપ બિસ્વાસની રાજકિય કિસ્મતનો નિર્ણય આજે શનિવારે ચોથા તબક્કાના મતદાનમાં ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ જશે. ભાજપના બે સાંસદ પણ 10 એપ્રિલના રોજ થનાર ચૂંટણીમાં મેદાનમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *