Viral Audio: અમિત માલવિયના દાવા પર પ્રશાંત કિશોરનો જવાબ, કહ્યું- આખી વાતચીત સાર્વજનિક કરો

ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયના દાવા અંગે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ પ્રતિક્રિયા આપી છે. માલવીયાએ દાવો કર્યો છે કે પ્રશાંત કિશોરે એક ઓનલાઈન ચેટમાં સ્વીકાર્યું હતું કે, ભાજપના વિજયના વલણો પણ ટીએમસીના આંતરિક સર્વે માં ઉભરી આવ્યા છે. આ દાવા પર પ્રશાંત કિશોરે કહ્યું છે કે ભાજપ વાતચીતના એક ભાગને જાહેર કરી રહ્યું  છે, હું તેમને અપીલ કરું છું કે આખી વાતચીતને જાહેર કરવામાં આવે.

પ્રશાંત કિશોરે કહ્યું- મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે ભાજપ મારા ક્લબહાઉસની એક વાતચીતને તેના નેતાઓના દાવા કરતા વધારે ગંભીરતાથી લઈ રહી છે. હું ઈચ્છું છું કે તેઓ વાર્તાલાપના એક જ ભાગનો ઉપયોગ ન કરે, પરંતુ આખી વાતચીતને સાર્વજનિક કરે, સત્ય તેની રીતે જ બહાર આવશે.

તમને જણાવી દઈએ કે અમિત માલવીયાએ દાવો કર્યો છે કે પ્રશાંત કિશોરને ખબર નહોતી કે આ ક્લબહાઉસ વાતચીત સાર્વજનિક છે, તેથી જ તેમણે ટીએમસીના સર્વેથી સંબંધિત આ વાત સ્વીકારી. આ વાતચીતમાં પ્રશાંત કિશોર કથિતપણે સ્વીકારે છે કે, ડાબેરી પક્ષો, કોંગ્રેસ અને ટીએમસીએ પરિસ્થિતિ અનુસાર છેલ્લા 20 વર્ષમાં મુસ્લિમ મતોનું તૃષ્ટિકરણ કર્યું છે.

હારી રહી છે ટીએમસી

દાવા પ્રમાણે, ટીએમસીના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે આ વાતચીતમાં સ્વીકાર્યું છે કે પીએમ મોદી બંગાળમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ અહીં જ નહીં દેશભરમાં પણ લોકોની પ્રથમ પસંદગી છે. તેમણે એમ પણ સ્વીકાર્યું છે કે ટીએમસી સામે એન્ટી ઇન્કમ્બન્સી છે અને એસસી મતદારો ભાજપ માટે ખૂબ મહત્વના સાબિત થશે. પ્રશાંત કિશોરે પણ સ્વીકાર્યું છે કે ટીએમસીના આંતરિક સર્વેમાં ભાજપ આગળ આવી છે. આ ઓડિયોમાં તેઓ એમ કહેતા પણ સાંભળવામાં આવે છે કે બંગાળમાં મમતા અને મોદી સમાન લોકપ્રિય છે.

સંબિત પાત્રાએ પણ નિશાન સાધ્યું હતું

પ્રશાંત કિશોરનો આ ઓડિયો સંબિત પાત્રા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે હવે બધાએ એમ માનવાનું શરૂ કરી દીધું છે કે મોદી સૌથી લોકપ્રિય નેતા છે. આ ઓડિયોમાં પ્રશાંત કિશોરને પૂછતા પણ સાંભળી શકાય છે કે શું આ ચેટ સાર્વજનિક છે? એવું માનવામાં આવે છે કે તે જાહેર ચેટ જતા હોવાનું જાણતા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *