અમિત શાહે કહ્યું આતંકવાદીઓને વીણી વીણીને મારીશું…

પહલગામ હુમલા પછી ભારત સરકાર આતંકવાદીઓના સફાયા માટે મકક્મપણે પગલા ભરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય પાંખના વડા સાથે બેઠક યોજ્યા પછી એક્શન લેવા માટે સ્વતંત્રતા આપ્યા પછી બુધવારે આ જ મુદ્દે પાંચ મહત્ત્વની બેઠક યોજી હતી.

What PM Modi's free hand to armed forces against terror means for  cross-border action? - Yes Punjab News

ત્યાર બાદ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે, તેમાંય આતંકવાદીઓને તો વીણી વીણીને મારવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે.

Hindi news, हिंदी न्यूज़ , Hindi Samachar, हिंदी समाचार, Latest News in  Hindi, Breaking News in Hindi, ताजा ख़बरें, Aaj Tak News

અમિત શાહે કહ્યું હતું કે આજે લોકો એમ માની લેતા નહીં કે અમારા ૨૭ લોકોને માર્યા પછી લડાઈ જીતી લીધી છે. હું એ લોકોને કહેવા માગું છું કે દરેક આતંકવાદીઓને જવાબ મળશે. કાયરતાપૂર્વક કરવામાં આવેલા હુમલા પછી વિચારતા હશે કે આ અમારી જીત છે તો સમજી લેજો વીણી વીણીને લોકોને મારવામાં આવશે.

This is not the end of the battle': Amit Shah warns terrorists as  government vows to uproot terrorism from every inch of India - The Economic  Times

ગૃહ પ્રધાને કહ્યું હતું કે આજે ફરી અમારા સંકલ્પ મુદ્દે વાત કરીશું કે આતંકવાદ વિરોધી અમારી લડાઈ ચાલુ રહેશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાહે ઉગ્રવાદીઓનો મુદ્દો હોય કે પછી કાશ્મીરમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલો પણ કોઈને બક્ષવામાં આવશે નહીં.

песочница гифок :: политота (Приколы про политику и политиков) :: гиф  анимация (гифки - ПРИКОЛЬНЫЕ gif анимашки) / картинки, гифки, прикольные  комиксы, интересные статьи по теме.

આતંકવાદનો સફાયો કરવામાં આવશે અને તમામ દેશો આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતની પડખે છે, જ્યાં સુધી આતંકવાદ સમાપ્ત થશે નહીં, ત્યાં સુધી તેનો દંડ મળતો રહેશે.

gujarat day, maharashtra day Template | PosterMyWall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *