આઈપીએલ ૨૦૨૫: આજે અમદાવાદમાં ક્વૉલિફાયર-૨

BCCI announces schedule for IPL 2025

આઈપીએલ ૨૦૨૫ની બીજી ક્વોલિફાયર મેચ રવિવારે (પહેલી  જૂન) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સની ટીમ  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામે પહેલી ક્વોલિફાયર મેચ હાર્યા બાદ આ મેચ રમવા માટે આવી છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એલિમિનેટર મેચમાં ગુજરાતને હરાવીને આ મેચ રમશે. પરંતુ આ મેચ પહેલા મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એક આંકડા જોઈને ખૂબ જ નારાજ થશે.

IPL 2025 Shake-Up: PBKS vs MI Match Moved to Ahmedabad! - Pragativadi I  Latest Odisha News in English I Breaking News

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે કમનસીબ સાબિત થઈ રહ્યું છે. છેલ્લી ૬ મેચમાંથી 5 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે આ મેદાન પર છેલ્લી જીત વર્ષ ૨૦૧૪ માં મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ ૧૧ વર્ષથી આ મેદાન પર કોઈ મેચ જીતી શક્યું નથી. ભલે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં હોય, પરંતુ આ આંકડાઓ જોઈને કેપ્ટન હાર્દિક સ્વાભાવિક રીતે જ તણાવમાં હશે. તે પંજાબ સામેની આગામી મેચમાં આ હારનો સિલસિલો તોડવા માંગશે.

Did Shubman Gill ignore Hardik Pandya? GT skipper's awkward exchange with  MI captain; Rohit Sharma gets 2 lifelines - Watch | Bhaskar English

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આ સિઝનમાં આ મેદાન પર પોતાની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી, જ્યાં તેઓ ૩૬ રનથી હારી ગયા હતા. તે મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરીને આઠ વિકેટ ગુમાવીને ૧૯૬ રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈની ટીમ ૨૦ ઓવર સુધી બેટિંગ કર્યા પછી માત્ર ૧૬૦ રન જ બનાવી શકી હતી. તે મેચમાં પ્રખ્યાત કૃષ્ણાએ ગુજરાત માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાના ચાર ઓવરના સ્પેલમાં માત્ર ૧૮ રન આપીને બે વિકેટ લીધી હતી. આ શાનદાર બોલિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

PBKS vs MI: IPL 2025 का दूसरा क्वालीफायर जीतने का फॉर्मूला तैयार, श्रेयस  अय्यर-हार्दिक पांड्या अगर मानें ये बात, तो फाइनल पक्का!

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેમણે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. એમઆઈ માટે સારી વાત એ છે કે તેમના બધા ખેલાડીઓ ફોર્મમાં છે. રોહિતે ગુજરાત સામેની એલિમિનેટર મેચમાં ૮૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય બાકીના ખેલાડીઓએ પણ સારી બેટિંગ કરી હતી, જેના કારણે ટીમને ત્યાં આસાન જીત મળી હતી. હાર્દિક પંડ્યા અને તેમની કંપની બીજા ક્વોલિફાયર મેચમાં પણ આ જ ફોર્મ જાળવી રાખવા માંગશે.

IPL 2025: PBKS vs MI Match Moved from Dharamsala to Ahmedabad Amid  India-Pakistan Tensions- IPL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *