રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સફળ ૪-દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ (૫ જૂન) નિમિત્તે એક સફળ ૪-દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય કાર્યક્રમો
આ ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો:

* સ્વચ્છતા અભિયાન : તળાવો અને નદીઓમાંથી પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા માટે વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

* જનજાગૃતિ કાર્યક્રમો : લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
* કોટન બેગ વિતરણ : પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણના ભાગરૂપે કોટન બેગનું વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
* અમદાવાદ મ્યુનિસિપલ શાકમાર્કેટ, નરોડા ખાતે ૧૫૦૦ કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું.
* હિરાવાડી, બાપુનગર, ગોતા, બોપલ, રાણીપ, મણિનગર, હંસપુરા, નિકોલ, અને નવા નરોડા સહિતના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર અભિયાન હેઠળ કુલ ૨૭૫૦ કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું.

* વનવિભાગ દ્વારા આવેલા તમામ પર્યાવરણ મિત્રોને છોડ આપવામાં આવ્યા.
સહયોગ અને સફળતા

આ કાર્યક્રમને ગુજરાત રાજ્ય વન વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક કોર્પોરેટરો, નિરમા યુનિવર્સિટી, પી.ડી.પી.યુ. યુનિવર્સિટી, ગાયત્રી પરિવાર નરોડા અને અન્ય સંસ્થાઓ તેમજ સ્થાનિક લોકોનો વ્યાપક સહયોગ મળ્યો હતો. આ સહયોગને કારણે આ ઉજવણી અત્યંત સફળ રહી હતી.

આ કાર્યક્રમ માટે આદિત્ય સિન્થેટિક કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું, જે આ પહેલની સફળતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *